Breaking News - Loksabha Election માટે BJPએ ઉમેદવારોના નામની કરી ઘોષણા, જાણો કોણ ક્યાંથી લડશે ચૂંટણી?


  • Published By :
  • Published Date : 2024-03-02 19:48:59

લોકસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપે 195 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પીએમ મોદી વારાણસીથી લડવાના છે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી લડવાના છે. નવસારીથી સી.આર.પાટીલની પસંદગી ઉમેદવાર તરીકે કરવામાં આવી છે. પોરબંદરથી મનસુખ માંડવિયાને ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.  પોરબંદર - મનસુખ માંડવિયા, જામનગર - પૂનમબેન માડમ, આણંદ - મિતેશ પટેલ, ખેડા - દેવૂસિંહ ચૌહાણ, મનસુખ વસાવા  - ભરૂચ, નવસારી - સી.આર.પાટીલ, બારડોલી - પ્રભુ વસાવા ઉમેદવારી નોંધાવાના છે. વિનોદ ચાવડા - કચ્છ, બનાસકાંઠા - રેખાબેન ચૌધરી, પાટણ - ભરત ડાભી, ગાંધીનગરથી અમિત શાહ દાવેદારી નોંધાવાના છે. 15માંથી 10 બેઠકો પર ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે. 

  

  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે