Breaking News : Vadodara Loksabha Seatના BJP ઉમેદવાર રંજનબેન ભટ્ટે ચૂંટણી ના લડવાની દર્શાવી ઈચ્છા, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું...


  • Published By :
  • Published Date : 2024-03-23 11:06:07

વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપે સાંસદ રંજનબેન ભટ્ટને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા હતા. રંજનબેન ભટ્ટ ચૂંટણી લડશે તેવું લાગતું હતું પરંતુ રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે, સોશિયલ મીડિયા પર તેમણે પોસ્ટ લખી અને જણાવ્યું છે હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024 ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવુ છું.


ઉમેદવાર તરીકે નામ જાહેર થયા બાદ પરત ખેંચી રહ્યા છે ઉમેદવારી    

ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે. અનેક વખત એવા ઉદાહરણો આપણી સામે છે જેમાં આ વાત સાચી પણ સાબિત થાય છે. લોકસભા ચૂંટણીની તૈયારીઓ કરવા માટે રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. ઉમેદવારોના નામની પણ જાહેરાત કરવામાં આવી ગઈ છે પરંતુ એક બાદ એક ઉમેદવારો ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. 


પહેલા કોંગ્રેસના ઉમેદવારે ના પાડી અને હવે ભાજપના ઉમેદવારે

થોડા સમય પહેલા કોંગ્રેસના અમદાવાદ પૂર્વના ઉમેદવાર રોહન ગુપ્તાએ ઉમેદાવારી પરત ખેંચી હતી અને તેમણે તો પક્ષમાંથી રાજીનામું પણ આપી દીધું હતું. ત્યારે હવે રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે.. સોશિયલ મીડિયા પર તેમણે પોસ્ટ કરતા લખ્યું કે તેઓ અંગત કારણોસર લોકસભા ચૂંટણી નથી લડવા માગતા. તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી છે.


સાંસદ રંજનબેન વિરૂદ્ધ લાગ્યા હતા પોસ્ટર...    

મહત્વનું છે કે થોડા દિવસો પહેલા પોસ્ટર વોર શરૂ થઈ ગયો હતો વડોદરામાં. સાંસદ રંજનબેન ભટ્ટના વિરોધમાં પોસ્ટર લાગ્યા હતા અને તેમાં લખવામાં આવ્યું હતું કે મોદી તુજ સે વેર નહીં.. રંજન તેરી ખેર નહીં... આ પોસ્ટરો હટાવાઈ ગયા પોલીસે તપાસ પણ કરી કે પોસ્ટર કોણે લગાવ્યા. પોસ્ટર લગાવનાર કોંગ્રેસનો કાર્યકર નીકળ્યો. સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા બાદ સાંસદ રંજન ભટ્ટની પ્રતિક્રિયા પણ સામે આવી છે જેમાં તે કહી રહ્યા છે તેમણે જાતે નિર્ણય કર્યો છે કે ચૂંટણી નહીં લડે....              



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.