Breaking News : તોડ કાંડ અંગે આવ્યા મોટા સમાચાર, યુવરાજસિંહના બે દિવસના રિમાન્ડ થયા મંજૂર!


  • Published By :
  • Published Date : 2023-04-29 17:52:15

ડમી કાંડ મામલે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ડમી ઉમેદવારો બેસવાની વાતનો ઘટસ્ફોટ યુવરાજસિંહે કર્યો હતો. ત્યારે ડમી કાંડમાં તોડ કાંડનો એન્ગલ આવ્યો હતો. બિપીન ત્રિવેદી નામના વ્યક્તિનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં યુવરાજસિંહ પર પૈસા લેવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ પોલીસે યુવરાજસિંહને હાજર થવા સમન્સ આપ્યા હતા. જે બાદ પોલીસ સમક્ષ હાજર થયા હતા અને તે બાદ તેમની વિરૂદ્ધ કેસ દાખલ થયો હતો. મોડી રાત્રે તેમની ધરપકડ પણ થઈ હતી. પોલીસે તોડ કાંડ મામલે 6 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો.

  

વધુ બે દિવસના રિમાન્ડ થયા મંજૂર!  

આ મામલે કડક તપાસ અને વાયુ વેગે કાર્યવાહી કરવામાં આવી હતી. ઓછા સમયની અંદર યુવરાજસિંહના એક સાળાને ઝડપી પાડ્યો હતો.જ્યારે બીજા સાળાએ સામે ચાલીને પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. તે ઉપરાંત બિપીન ત્રિવેદી, ઘનશ્યામ લાંધવા સહિત 6 લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ હતી. ત્યારે આજે યુવરાજસિંહના સાત દિવસના રિમાન્ડ પૂર્ણ થયા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ ફરીથી કોર્ટ સમક્ષ યુવરાજસિંહને રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે યુવરાજસિંહના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તે ઉપરાંત તોડ કાંડ મામલે ઘનશ્યામ લાંધવા અને બિપીન ત્રિવેદીને જેલ હવાલે કરવાનો હુકમ આપ્યો છે. 


યુવરાજસિંહે આપી પ્રતિક્રિયા!

આ બધા વચ્ચે ઘનશ્યામ લાંધવાએ મોટું નિવેદન આપ્યું હતું. તે ઉપરાંત યુવરાજસિંહને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે તમે મૌન કેમ છો તે અંગે યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી છે.     




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.