Breaking News : Kerelaમાં થયો મોટો ધડાકો, કન્વેન્શન સેન્ટરમાં થયો બ્લાસ્ટ એક વ્યક્તિનું મોત જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-29 14:35:07

કેરળમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. કેરળના અર્નાકુલમમાં કલામસેરી સ્થિત એક કન્વેન્શન સેંટરમાં બ્લાસ્ટ થયો છે અને આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અનેક લોકોને ઈજા પહોંચી છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના ત્યારે સર્જાઈ છે જ્યારે કન્વેંશન સેન્ટરમાં પ્રાાર્થના ચાલી રહી હતી. મળતી માહિતી અનુસાર ખ્રિસ્તી સમુદાયના લોકો સવારે 9.30 વાગ્યાની આસપાસ કલામાસેરી ખાતે કન્વેન્શન સેન્ટરમાં પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે 5 મિનિટની અંદર સતત ત્રણ ધડાકા થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા ત્વરીત કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર અમિત શાહે કેરળના મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી હતી.




મુખ્યમંત્રીએ આ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું 

કેરળમાં આવેલા કોચ્ચિના કલામસ્સેરી વિસ્તારમાં રવિવાર સવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર કન્વેન્શન સેન્ટરમાં ત્રણ જોરદાર વિસ્ફોટ થયા છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હોય તેવી માહિતી સામે આવી છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ત્રણ ધમાકા થયાં છે જેમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અનેક લોકો અંદાજીત 20 જેટલા લોકો ઘાયલ થયા છે. તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટના બાદ કેરળના મુખ્યમંત્રીનું નિવેદન પણ સામે આવ્યું છે. આ ઘટનાને પગલે તમામ હોસ્પિટલોને એલર્ટ કરી દેવામાં આવી છે. પોલીસ ઘટના સ્થળે હાજર છે. NIA પણ પહોંચી ગઈ છે. બ્લાસ્ટનું કારણ બહાર આવ્યું નથી.

અમિત શાહે આ ઘટના અંગે જાણકારી મેળવી 

મુખ્યમંત્રી પિનારાઈ વિજયને કહ્યું કે આ ઘટના અત્યંત દુર્ભાગ્ય પૂર્ણ ઘટના છે. આ ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ. ડીજીપી ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે. આ ઘટનાને અમે ગંભીરતાથી લઈ રહ્યા છીએ. તે ઉપરાંત આ ઘટનાને લઈ કેન્દ્રીય ગૃહમંત્રાલય પણ એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેરળના મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી હતી. ત્યાંની પરિસ્થિતિ જાણવાની કોશિશ કરી હતી.  


એનઆઈએની ટીમ કરશે આ ઘટનાની તપાસ 

જે જગ્યા પર બ્લાસ્ટ થયો છે તે જગ્યા પર ત્રિ-દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ આયોજનનો આજે અંતિમ દિવસ હતો. છેલ્લા દિવસે આ બ્લાસ્ટ થયો છે. આ ઘટના અંગે પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે એક નહીં પરંતુ ત્રણ બ્લાસ્ટ થયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનાની તપાસ એનઆઈએ દ્વારા કરવામાં આવશે. એનઆઈએની ફોરન્સીક ટીમ ઘટનાસ્થળ પર પહોંચી છે. 



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.