Breaking News : ડમી કાંડ મામલે પોલીસની મોટી કાર્યવાહી, યુવરાજસિંહની ધરપકડ બાદ પોલીસે કરી યુવરાજસિંહના સાળાની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-04-22 12:37:51

ડમી કાંડ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે આ એન્ગલમાં તોડકાંડનો મામલો પણ સામે આવ્યો છે. ત્યારે ગઈકાલે યુવરાજસિંહ પોતાનું સ્ટેટમેન્ટ આપવા ભાવનગર એસઓજી સમક્ષ હાજર થયા હતા. અનેક કલાકો સુધી યુવરાજસિંહની પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ યુવરાજસિંહ વિરૂદ્ધ ખંડણીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. યુવરાજસિંહ ઉપરાંત તોડકાંડમાં યુવરાજસિંહના સાળાની સંડોવણી અંગેની માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી હતી. યુવરાજસિંહના સાળા વિરૂદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને આજે કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર યુવરાજસિંહના સાળાની પોલીસે સુરતથી ધરપકડ કરી લીધી છે. રિમાન્ડ માટે કોર્ટ સમક્ષ યુવરાજસિંહને હાજર કરવામાં આવશે.  


ભાવનગર એસઓજી સમક્ષ હાજર રહ્યા હતા યુવરાજસિંહ 

ડમી કાંડ મામલે દિવસેને દિવસે નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ગઈકાલે ભાવનગર એસઓજી સમક્ષ યુવરાજસિંહ હાજર રહ્યા હતા. લાંબા સમય સુધી યુવરાજસિંહની પૂછપરછ કરવામાં આવી હતી જે બાદ યુવરાજસિંહ પૈસા લેવાના આરોપોને લઈ તેમના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તોડકાંડ મામલે પોલીસે યુવરાજસિંહ સહિત 6 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 


યુવરાજસિંહના સાળાની થઈ ધરપકડ!

આ મામલે યુવરાજ સિંહ, અનિરૂધ્ધ સિંહ જાડેજા, શિવુભા,કાનભા, ઘનશ્યામ મહાશંકર ભાઈ લાધવા જોષી, બીપીન પોપટભાઈ ત્રિવેદી રમણા, રાજુભાઈ (જેનું પુરૂ નામ સરનામુ જાણવા મળી નથી) વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં  આવ્યો હતો. ત્યારે મોડી રાત્રે યુવરાજસિંહની ધરપકડ કરી લેવામાં આવી હતી અને મળતી માહિતી અનુસાર યુવરાજસિંહના સાળા કાનભા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સુરતથી તેમની ધરપકડ કરવામાં આવી છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!