Breaking News : ડમી કાંડ મામલે પોલીસની મોટી કાર્યવાહી, યુવરાજસિંહની ધરપકડ બાદ પોલીસે કરી યુવરાજસિંહના સાળાની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-04-22 12:37:51

ડમી કાંડ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે આ એન્ગલમાં તોડકાંડનો મામલો પણ સામે આવ્યો છે. ત્યારે ગઈકાલે યુવરાજસિંહ પોતાનું સ્ટેટમેન્ટ આપવા ભાવનગર એસઓજી સમક્ષ હાજર થયા હતા. અનેક કલાકો સુધી યુવરાજસિંહની પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ યુવરાજસિંહ વિરૂદ્ધ ખંડણીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. યુવરાજસિંહ ઉપરાંત તોડકાંડમાં યુવરાજસિંહના સાળાની સંડોવણી અંગેની માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી હતી. યુવરાજસિંહના સાળા વિરૂદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને આજે કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર યુવરાજસિંહના સાળાની પોલીસે સુરતથી ધરપકડ કરી લીધી છે. રિમાન્ડ માટે કોર્ટ સમક્ષ યુવરાજસિંહને હાજર કરવામાં આવશે.  


ભાવનગર એસઓજી સમક્ષ હાજર રહ્યા હતા યુવરાજસિંહ 

ડમી કાંડ મામલે દિવસેને દિવસે નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ગઈકાલે ભાવનગર એસઓજી સમક્ષ યુવરાજસિંહ હાજર રહ્યા હતા. લાંબા સમય સુધી યુવરાજસિંહની પૂછપરછ કરવામાં આવી હતી જે બાદ યુવરાજસિંહ પૈસા લેવાના આરોપોને લઈ તેમના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તોડકાંડ મામલે પોલીસે યુવરાજસિંહ સહિત 6 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 


યુવરાજસિંહના સાળાની થઈ ધરપકડ!

આ મામલે યુવરાજ સિંહ, અનિરૂધ્ધ સિંહ જાડેજા, શિવુભા,કાનભા, ઘનશ્યામ મહાશંકર ભાઈ લાધવા જોષી, બીપીન પોપટભાઈ ત્રિવેદી રમણા, રાજુભાઈ (જેનું પુરૂ નામ સરનામુ જાણવા મળી નથી) વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં  આવ્યો હતો. ત્યારે મોડી રાત્રે યુવરાજસિંહની ધરપકડ કરી લેવામાં આવી હતી અને મળતી માહિતી અનુસાર યુવરાજસિંહના સાળા કાનભા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સુરતથી તેમની ધરપકડ કરવામાં આવી છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.