Breaking News : Bhavnagar અને Jamnagarને મળ્યા પ્રથમ નાગરિક, જાણો કોની કરાઈ પસંદગી?


  • Published By :
  • Published Date : 2023-09-12 12:08:50

ભાવનગર અને જામનગર મહાનગર પાલિકાના મેયર તેમજ ડેપ્યુટી મેયરની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાવનગરના નવા મેયર તરીકે ભરત બારડની નિયુક્તિ કરવામાં આવી છે જ્યારે જામનગરના મેયર તરીકે વિનોદ ખીમસુરીયાની વરણી કરવામાં આવી છે. ભાવનગરના ડેપ્યુટી મેયર તરીકે મોના પારેખની નિયુક્તિ કરવામાં આવી છે જ્યારે જામનગરના ડેપ્યુટી મેયર તરીકે ક્રિષ્નાબેન સોઢાના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાવનગર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજુ રાબડીયાના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે જામનગર સ્ટેડિંગ કમિટીના ચેરમેન તરીકે આશિષ જોશીના નામની વરણી કરવામાં આવી છે. 

(ફોટો - જામનગરના મેયર ભરત બારડ)

6 મહાનગરોને મળ્યા છે નવા મેયર 

મહત્વનું છે કે 6 મહાનગર પાલિકાઓમાં મેયરની વરણી કરવામાં આવવાની હતી. ગઈકાલે અમદાવાદ તેમજ વડોદરાના મેયરની વરણી કરવામાં આવી હતી. અમદાવાદની સુકાન પ્રતિભા જૈનને જ્યારે વડોદરાની સુકાન પિન્કી સોનીને સોંપવામાં આવી હતી. તે ઉપરાંત આજે સુરતના મેયરની વરણી પણ કરવામાં આવી. દક્ષેશ માવાણીને સુરતના મેયર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે નરેશ પાટીલની પસંદગી ડેપ્યુટી મેયર તરીકે કરવામાં આવી છે. તે ઉપરાંત રાજકોટના મેયર તરીકે નયના પઢેડિયાની વરણી કરવામાં આવી છે. જ્યારે નરેન્દ્રસિંહ જાડેજાની વરણી રાજકોટના ડેપ્યુટી મેયર તરીકે કરવામાં આવી છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!