Breaking News : લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે ચાર રાજ્યોના બદલ્યા પ્રદેશ પ્રમુખ


  • Published By :
  • Published Date : 2023-07-04 17:17:59

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી અનેક રાજ્યોના પ્રદેશ અધ્યક્ષને બદલવામાં આવ્યા છે. જે અંતર્ગત પંજાબ, તેલંગાણા, ઝારખંડ અને આંધ્રપ્રદેશમાં નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂંક કરવામાં આવી છે. ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંત્રી મંડળની બેઠક યોજી હતી જે પાંચેક કલાક સુધી ચાલી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ જ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોય શકે, જો કે રાજકીય પાર્ટીઓ બહુ પહેલાથી પોતાની પરીક્ષાની તૈયારીઓ એટલે કે ચૂંટણીની તૈયારીઓ કરતા હોય છે તો ભાજપે પણ તેવી જ રીતે આ નિર્ણય લીધો છે. 

નવા નિમણૂંક થયેલા અધ્યક્ષોના રાજકીય સફરની વાત કરીએ તો....

પંજાબની વાત કરીએ તો હમણા 2022માં જ પંજાબમાં આમ આદમી પાર્ટીએ સરકારી બનાવી છે. ભાજપે સુનિલ ઝાખડને પંજાબ ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે પણ ત્યાં હાલ કોઈ મોટી ચૂંટણીઓ નથી. છે તો બસ મહાનગરપાલિકાઓની ચૂંટણી છે. બાકી સામાન્ય ચૂંટણીઓ 2019માં યોજાઈ હતી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પંજાબમાં 2018માં યોજાઈ હતી. પણ પંજાબમાં ભાજપના પ્રદેશ પ્રમુખ બદલવા પાછળનું કારણ છે ત્યાંના ભાજપના પ્રદેશ પ્રમુખ અશ્વિનિ કુમાર શર્મા પ્રદેશ પ્રમુખ તરીકે કથિત રીતે નિષ્ફળ રહ્યા છે. માટે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસમાંથી સુનિલ ઝાખડ લીધા અને ત્યારે જ તેમને કથિત રીતે વચન આપવામાં આવ્યું હતું કે ભાજપમાં મોટું પદ આપવામાં આવસે અને એ પદ આજે મળી ગયું છે. સુનીલ જાખડને પંજાબના પ્રદેશ પ્રમુખ બનાવી દીધા છે. 


હવે વાત આંધ્રપ્રદેશની કરીએ. તો ત્યાં ડી પુરંદેશ્વરીને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. જૂન 2014માં આંધ્રપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી છે. ગઈ વિધાનસભા ચૂંટણીમાં જગન મોહન રેડ્ડીએ ત્યાં સરકાર બનાવી હતી. તેમની વચ્ચે અને તેલુગુ દેશમ પાર્ટીના ચંદ્રબાબુ નાયડુ વચ્ચે ખરાખરીનો જંગ ચાલે છે, ભાજપ હવે આંધ્રપ્રદેશમાં કેટલું ફાવશે તે જોવાનું રહેશે. ડી પુરંદેશ્વરીની વાત કરીએ તો તેમને દક્ષિણના સુષ્મા સ્વરાજ તરીકે ઓળખવામાં આવે છે. તે વિશાખાપટ્ટનમથી સાંસદ રહ્યા છે.. 2014 પહેલા કોંગ્રેસ સાથે તે જોડાયેલા હતા પણ હવે ભાજપ સાથે જોડાયેલા છે. 


તેલંગાણાની વાત કરીએ તો ત્યાં કે ચંદ્રશેખર રાવની બીઆરએસ પાર્ટીનો દબદબો છે. કોંગ્રેસના એઆર રેડ્ડીને પણ મોટા નેતા માનવામાં આવે છે. તેલંગાણામાં જાન્યુઆરી 2024માં વિધાનસભાની ચૂંટણી છે અને તમામ પક્ષોએ દમથી લડવા તૈયારીઓ કરી છે. ગયા વખતે 2018માં તેલંગાણા રાષ્ટ્ર સમિતિના કેસીઆર જીત્યા હતા અને બીજીવાર મુખ્યમંત્રી બન્યા હતા. જી કિશન રેડ્ડી હવે તેલંગાણામાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે સેવા આપવાના છે. તે સિકંદરાબાદથી ભાજપના એમપી છે. 1977માં જનતાપાર્ટીથી તેમના રાજકીય સફરની શરૂઆત થઈ હતી. 


ઝારખંડની વાત કરીએ તો બાબુલાલ મરાંડીને ભાજપે પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. નવેમ્બર-ડિસેમ્બર 2024માં ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી છે માટે ભાજપે બાબુલાલ મરાંડીને મોકો આપ્યો છે. હાલ ત્યાં ઝારખંડ મુક્તિ મોર્ચાના હેમંત સોરેનની સરકાર છે. ત્યાં હેમંત સોરેનની પાર્ટીનું મહાગઠબંધન છે અને તેમણે જ સરકાર બનાવી છે. જેમાં કોંગ્રેસ, આરજેડી અને એનસીપી પક્ષો સામેલ છે. સામે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની વાત કરીએ તો ભાજપ અને ઓલ ઝારખંડ સ્ટુડન્ય યુનિયન બંને સાથે લડી રહ્યા છે. ત્રીજી બાજુ ઝારખંડમાં ડાબેરી વિચારધારાની પણ અનેક પાર્ટી છે જેનો ભારે દબદબો છે. બાબુલાલ મરાંડની વાત કરીએ તો ઝારખંડ બન્યા બાદ તે પહેલા મુખ્યમંત્રી હતા. અત્યાર સુધી તે ઝારખંડમાં વિરોધ પક્ષના નેતા હતા. તેમણે ઝારખંડ વિકાસ મોરચા નામની પાર્ટી બનાવી હતી. આ સાથે તે ચાર ટર્મ સુધી સાંસદ પણ રહેલા છે. હવે ભાજપે તેમને મોટી જવાબદારી આપી છે. બાબુલાલ મરાંડીના રાજકીય સફરની શરૂઆત પણ ભાજપ સાથે જ થઈ હતી. હજુ પણ અમુક રાજ્યોના પ્રદેશ પ્રમુખને બદલાવાની વાત થઈ રહી છે પણ હવે જ્યારે બદલાશે ત્યારે જોવાનું રહેશે બાકી હાલ તો ખાલી ચર્ચાઓ જ ચાલી રહી છે. પણ ભારતીય જનતા પાર્ટીમાં સરપ્રાઈઝ બહુ આવતા હોય છે તો ગુજરાતમાંથી પણ કોઈ સરપ્રાઈઝ આવશે કે નહીં તે જોવાનું રહેશે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!