Breaking News : ED સમક્ષ પૂછપરછ માટે હાજર નહીં થાય Arvind Kejriwal, EDએ પાઠવેલી નોટિસ વિશે કહી આ વાત


  • Published By :
  • Published Date : 2023-11-02 13:35:34

કથિત દારૂ કૌભાંડ મામલે પૂછપરછ માટે ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રીને પૂછપરછ માટેનું સમન્સ પાઠવ્યું હતું. આજે તેઓ પૂછપરછ માટે હાજર રહેવાના હતા. આમ આદમી પાર્ટીને ડર લાગતો હતો કે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે છે. આ બધા વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે ઈડી સમક્ષ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાજર નથી થવાના. એવી પણ માહિતી સામે આવી છે કે તે ચૂંટણી પ્રચાર માટે મધ્યપ્રદેશ જઈ શકે છે. 

સમન્સને લઈ કેજરીવાલે કહી આ વાત 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે 11 વાગ્યે ઈડી સમક્ષ પૂછપરછ માટે હાજર થવાના હતા. પરંતુ હવે એવી માહિતી સામે આવી છે કે તે પૂછપરછ માટે હાજર નહીં થાય પરંતુ મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરશે. આની પહેલા અરવિંદ કેજરીવાલે ભાજપ પર આરોપ લગાવ્યો કે બીજેપીના કહેવાથી તેમને ઈડીએ પૂછપરછ માટે બોલાવ્યા છે. ચાર રાજ્યોમાં ચૂંટણી પ્રચાર માટે તે ન જઈ શકે તે માટે તેમને નોટિસ પાઠવવામાં આવી છે. 



બીજેપીના ઈશારે નોટિસ મોકલવામાં આવી છે - કેજરીવાલ 

ઈડીના સમન્સ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે સમન્સ ગેરકાયદેસર છે અને રાજનીતિથી પ્રેરિત છે.નોટિસ બીજેપીના ઈશારા પર મોકલવામાં આવી છે. નોટિસ એ માટે મોકલવામાં આવી છે કે ચાર રાજ્યોમાં ચૂંટણી પ્રચાર માટે ન જઈ શકું. ઈડીએ આ નોટિસ તરત પાછી લઈ લેવી જોઈએ. મહત્વનું છે કે આમ આદમી પાર્ટીના નેતાને આશંકા હતી કે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે છે. ઉલ્લેખનિય છે કે આની પહેલા પણ અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરવામાં આવી હતી. તે ઈડી દ્વારા નહીં પરંતુ સીબીઆઈ દ્વારા કરવામાં આવી હતી.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.