Breaking News : ED સમક્ષ પૂછપરછ માટે હાજર નહીં થાય Arvind Kejriwal, EDએ પાઠવેલી નોટિસ વિશે કહી આ વાત


  • Published By :
  • Published Date : 2023-11-02 13:35:34

કથિત દારૂ કૌભાંડ મામલે પૂછપરછ માટે ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રીને પૂછપરછ માટેનું સમન્સ પાઠવ્યું હતું. આજે તેઓ પૂછપરછ માટે હાજર રહેવાના હતા. આમ આદમી પાર્ટીને ડર લાગતો હતો કે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે છે. આ બધા વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે ઈડી સમક્ષ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાજર નથી થવાના. એવી પણ માહિતી સામે આવી છે કે તે ચૂંટણી પ્રચાર માટે મધ્યપ્રદેશ જઈ શકે છે. 

સમન્સને લઈ કેજરીવાલે કહી આ વાત 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે 11 વાગ્યે ઈડી સમક્ષ પૂછપરછ માટે હાજર થવાના હતા. પરંતુ હવે એવી માહિતી સામે આવી છે કે તે પૂછપરછ માટે હાજર નહીં થાય પરંતુ મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરશે. આની પહેલા અરવિંદ કેજરીવાલે ભાજપ પર આરોપ લગાવ્યો કે બીજેપીના કહેવાથી તેમને ઈડીએ પૂછપરછ માટે બોલાવ્યા છે. ચાર રાજ્યોમાં ચૂંટણી પ્રચાર માટે તે ન જઈ શકે તે માટે તેમને નોટિસ પાઠવવામાં આવી છે. 



બીજેપીના ઈશારે નોટિસ મોકલવામાં આવી છે - કેજરીવાલ 

ઈડીના સમન્સ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે સમન્સ ગેરકાયદેસર છે અને રાજનીતિથી પ્રેરિત છે.નોટિસ બીજેપીના ઈશારા પર મોકલવામાં આવી છે. નોટિસ એ માટે મોકલવામાં આવી છે કે ચાર રાજ્યોમાં ચૂંટણી પ્રચાર માટે ન જઈ શકું. ઈડીએ આ નોટિસ તરત પાછી લઈ લેવી જોઈએ. મહત્વનું છે કે આમ આદમી પાર્ટીના નેતાને આશંકા હતી કે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે છે. ઉલ્લેખનિય છે કે આની પહેલા પણ અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરવામાં આવી હતી. તે ઈડી દ્વારા નહીં પરંતુ સીબીઆઈ દ્વારા કરવામાં આવી હતી.   



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.