Breaking News : વડોદરા બાદ સાબરકાંઠાના BJP ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી....


  • Published By :
  • Published Date : 2024-03-23 12:04:37

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ચાલી રહેલો આંતરિક વિવાદ ખુલીને સામો આવી રહ્યો છે. હજી રંજનબેન ભટ્ટની ચર્ચાઓ શાંત નથી થઈ ત્યારે તો વધુ એક બ્રેકિંગ ન્યુઝ સામે આવ્યા.  સાબરકાંઠાના લોકસભાના ઉમેવાદર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાની ના પાડી છે. 

ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર

એક જ દિવસમાં ભારતીય જનતા પાર્ટીને બે મોટા ઝટકા મળ્યા છે. ઉમેદવાર તરીકે વડોદરા બેઠક પરથી ભાજપે રંજનબેન ભટ્ટને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા તો સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા હતા. ગુજરાત માટે બીજેપીએ 22 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે પરંતુ બે ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. આજે સવારે સોશિયલ મીડિયા પર રંજનબેન ભટ્ટ દ્વારા ટ્વિટ કરવામાં આવે છે અને તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી. આની ચર્ચાઓ તો હજી પૂર્ણ નથી થઈ ત્યારે તો સાબરકાંઠાના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ભીખાજી ઠાકોરે પણ ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી લીધી છે. 

Image



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.