Breaking News : Rajkot અગ્નિકાંડ બાદ સરકારે લીધો મહત્વનો નિર્ણય, રાજકોટ પોલીસ કમિશનરની કરાઈ બદલી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-27 19:12:35

રાજકોટ અગ્નિકાંડમાં 28 જેટલા લોકોના મોત થઈ ગયા છે. પોલીસની કામગીરી પર સવાલ અનેક ઉઠ્યા છે ત્યારે એક મોટી અપડેટ સામે આવી છે કે રાજ્ય સરકાર દ્વારા મોટા પાયે અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તેમજ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરવામાં આવી છે. રાજકોટના નવા પોલીસ વડા તરીકે બ્રિજેશ ઝાની નિમણૂંક કરવામાં આવી છે.. અગ્નિકાંડ બાદ ગૃહ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. રાજુ ભાર્ગવ, વિધી ચૌધરીની પણ બદલી કરી દેવામાં આવી છે.


સૌથી મોટા સમાચાર, રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઈ રાજકોટ પોલીસ કમિશનરની બદલી



પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ!

શનિવાર સાજે બનેલી આગની ઘટનામાં અનેક પરિવારે પોતાના વ્હાલસોયાને ગુમાવ્યા છે.. 28 જેટલા લોકોના મોત આ કરૂણાંતિકામાં થયા છે. આ ઘટના બાદ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થાય છે.. પોલીસ કમિશનર પણ જાણે સવાલોના ઘેરામાં હતા... આ બધા વચ્ચે સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.. રાજકોટમાં પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે મૃતકોની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટનો સહારો લેવો પડી રહ્યો છે.. માત્ર અમુક પરિવારોને જ તેમના સ્વજનોનો મૃતદેહ મળ્યો છે. 




રાજકોટ પોલીસ કમિશનરની કરાઈ બદલી 

રાજકોટના પોલીસ કમિશનરની બદલી કરવામાં આવી છે.. ના માત્ર પોલીસ કમિશનરની પરંતુ બીજા અનેક અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલની પણ બદલી કરાઇ છે.  રાજુ ભાર્ગવ અને વિધી ચૌધરીને નવુ પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી. રાજુ ભાર્ગવ અને જેસીપી વિધી ચૌધરીને વેઈટિંગમાં રખાયા છે. સુધીર દેસાઈની પણ બદલી કરાઇ છે.  રાજકોટના નવા પોલીસ કમિશ્નર તરીકે બ્રિજેશકુમાર ઝાની નિમણૂંક કરાઇ છે. વિધી ચૌધરીની જગ્યાએ મહેંદ્ર બગરીયાની નિમણૂંક કરાઇ છે. 



સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..