Breaking News : Rajkot અગ્નિકાંડ બાદ સરકારે લીધો મહત્વનો નિર્ણય, રાજકોટ પોલીસ કમિશનરની કરાઈ બદલી


  • Published By :
  • Published Date : 2024-05-27 19:12:35

રાજકોટ અગ્નિકાંડમાં 28 જેટલા લોકોના મોત થઈ ગયા છે. પોલીસની કામગીરી પર સવાલ અનેક ઉઠ્યા છે ત્યારે એક મોટી અપડેટ સામે આવી છે કે રાજ્ય સરકાર દ્વારા મોટા પાયે અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તેમજ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરવામાં આવી છે. રાજકોટના નવા પોલીસ વડા તરીકે બ્રિજેશ ઝાની નિમણૂંક કરવામાં આવી છે.. અગ્નિકાંડ બાદ ગૃહ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. રાજુ ભાર્ગવ, વિધી ચૌધરીની પણ બદલી કરી દેવામાં આવી છે.


સૌથી મોટા સમાચાર, રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઈ રાજકોટ પોલીસ કમિશનરની બદલી



પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ!

શનિવાર સાજે બનેલી આગની ઘટનામાં અનેક પરિવારે પોતાના વ્હાલસોયાને ગુમાવ્યા છે.. 28 જેટલા લોકોના મોત આ કરૂણાંતિકામાં થયા છે. આ ઘટના બાદ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થાય છે.. પોલીસ કમિશનર પણ જાણે સવાલોના ઘેરામાં હતા... આ બધા વચ્ચે સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.. રાજકોટમાં પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે મૃતકોની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટનો સહારો લેવો પડી રહ્યો છે.. માત્ર અમુક પરિવારોને જ તેમના સ્વજનોનો મૃતદેહ મળ્યો છે. 




રાજકોટ પોલીસ કમિશનરની કરાઈ બદલી 

રાજકોટના પોલીસ કમિશનરની બદલી કરવામાં આવી છે.. ના માત્ર પોલીસ કમિશનરની પરંતુ બીજા અનેક અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલની પણ બદલી કરાઇ છે.  રાજુ ભાર્ગવ અને વિધી ચૌધરીને નવુ પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી. રાજુ ભાર્ગવ અને જેસીપી વિધી ચૌધરીને વેઈટિંગમાં રખાયા છે. સુધીર દેસાઈની પણ બદલી કરાઇ છે.  રાજકોટના નવા પોલીસ કમિશ્નર તરીકે બ્રિજેશકુમાર ઝાની નિમણૂંક કરાઇ છે. વિધી ચૌધરીની જગ્યાએ મહેંદ્ર બગરીયાની નિમણૂંક કરાઇ છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.