Breaking News : રાજકોટની એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું થયું હાર્ટ એટેકને કારણે નિધન, ગઈકાલે છાતીમાં થયો હતો દુખાવો


  • Published By :
  • Published Date : 2023-06-28 12:47:56

થોડા સમય પહેલા ધોરણ 12માં ભણતી વિદ્યાર્થીનીનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું. ત્યારે હવે રાજકોટમાં આવી ઘટના બની છે. રાજકોટમાં કોલેજમાં ભણતા એક વિદ્યાર્થીનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. 28 વર્ષીય કલ્પેશ પ્રજાપતિ નામનો વિદ્યાર્થી વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. જ્યારે કોલેજથી વિદ્યાર્થી ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન તેને છાતીમાં દુખાવો થયો. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં પહોંચે તે પહેલા જ તેનું નિધન થઈ ગયું હતું. ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધો હતો.    


કોલેજના અંતિમ વર્ષમાં કરતો હતો અભ્યાસ 

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. નાની ઉંમરે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. પહેલા આપણે એવું માનતા હતા કે હાર્ટ એટેક વૃદ્ધોને આવે. પરંતુ હવે તો જીવનનો કોઈ ભરોસો નથી રહ્યો. યુવાનોમાં તેમજ વિદ્યાર્થીઓ હૃદય હુમલાનો શિકાર બની રહ્યા છે. થોડા દિવસ પહેલા ધોરણ 12માં ભણતી વિદ્યાર્થીનીનું નિધન હાર્ટ એટેકને કારણે થયું હતું ત્યારે ફરી એક વખત વિદ્યાર્થીનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. સુરતના રહેવાસી અને રાજકોટની વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં આર્કિટેક્ટર કોર્સના અંતિમ વર્ષમાં અભ્યાસ કલ્પેશ પ્રજાપતિ કરી રહ્યો હતો. 


કોરોના બાદ વધ્યા હાર્ટ એટેકના કિસ્સા

ગઈકાલે સાંજે કોલેજથી છૂટ્યો તે વખતે તેની છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. સારવાર મળે તે પહેલા જ આશાવાદી યુવાને દમ તોડી દીધો હતો. જ્યારે કલ્પેશને છાતીમાં દુખાવો થયો ત્યારે પોતાના મિત્રને ફોન કરી જાણ કરી. 108ની મદદથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. વિદ્યાર્થીના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મહત્વનું છે કે કોરોના બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાની સાઈડઈફેટ જોવા મળી રહી છે. જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે તેમણે વેક્સિનના ત્રણેય ડોઝ લીધા હોય તેવી વાત સામે આવી હતી.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.