Breaking News : મિઝોરમમાં સર્જાઈ મોટી દુર્ઘટના, અંડર કન્સ્ટ્રક્શન રેલવે પુલ ધરાશાયી થતાં થયા આટલા શ્રમિકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-23 13:26:42

મિઝોરમમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં 17 શ્રમિકોના મોત થઈ ગયા છે. અંડર કન્સ્ટ્રક્શન રેલવે બ્રિજની કામગીરી દરમિયાન બ્રિજ તૂટી  પડ્યો છે અને દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના જ્યારે સર્જાઈ ત્યારે બ્રિજની કામગીરી કરવા માટે 30થી 40 જેટલા શ્રમિકો હાજર હતા. સવારે 10 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના સર્જાઈ છે. દુર્ઘટના અંગે મુખ્યમંત્રીએ શોક પ્રગટ કર્યો છે.  

દુર્ઘટનામાં થયા 17 શ્રમિકોના મોત

અનેક વખત નિર્માણાધીન સાઈટ પર દુર્ઘટના સર્જાતી હોય છે. સ્લેબનો ભાગ ધરાશાયી થતાં અનેક લોકોના મોત પણ થઈ જતા હોય છે. ત્યારે એક મોટી દુર્ઘટના મિઝોરમમાં સર્જાઈ છે. પુલ પર શ્રમિકો કામ કરી રહ્યા હતા તે દરમિયાન દુર્ઘટના સર્જાતા અનેક શ્રમિકો કાટમાળ નીચે દટાઈ ગયા છે અને 17 જેટલા શ્રમિકોના મોત થઈ ગયા છે. દુર્ઘટના સર્જાતા ત્વરીત રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અનેક શ્રમિકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. દુર્ઘટનાને પગલે મુખ્યમંત્રીએ શોક પ્રગટ કર્યો છે. દુર્ઘટનાને લઈ પીએમ મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે.      


દુર્ઘટનાનો વીડિયો આવ્યો સામે! 

જે અકસ્માત સર્જાયો છે તેનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રીજા અને ચોથા થાંભલા વચ્ચેનો ગાર્ડર નીચે પડી ગયો.  જે ગાર્ડર નીચે ધરાશાયી થયો તેની પર 30થી 40 જેટલા શ્રમિકો કામ કરી રહ્યા હતા. દુર્ઘટના સર્જાતા શ્રમિકો કાટમાળની નીચે દબાઈ ગયા અને 17 જેટલા શ્રમિકોના મોત થઈ ગયા છે. જે પુલ ધરાશાયી થયો છે તેની ઉંચાઈ 104 મીટર માનવામાં આવી રહી છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.