Breaking News : 2000ની નોટ બદલાવાની મુદ્દત લંબાવાઈ, હવે આ તારીખ સુધી બદલાવાઈ શકાશે નોટ


  • Published By :
  • Published Date : 2023-09-30 18:03:43

2 હજાર નોટને બદલાવાનો આજે છેલ્લો દિવસ હતો. પરંતુ આરબીઆઈએ આ ડેડલાઈનમાં વધારો કર્યો છે. 2 હજારની નોટ બદલવાની મુદ્દત અઠવાડિયા સુધી વધારવામાં આવી છે. મતલબ 7 ઓક્ટોબર સુધી તેમે 2 હજારની નોટને બદલાવી શકો છો. 


3.42 લાખ કરોડની નોટો બેન્કોને પરત મળી છે!

બે હજાર રુપિયાની નોટોને બદલાવાનો આજે અંતિમ દિવસ હતો. મતલબ આજે બેંકમાં તમે આ નોટો જમા કરાવાની હતી. 30 સપ્ટેમ્બર  સુધીમાં આ નોટો જમાવાની હતી પરંતુ હવે આરબીઆઈએ આ ડેડલાઈને વધારી છે. 7 ઓક્ટોબર સુધી હવે આ નોટો બદવાઈ શકાશે. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બે હજારની નોટને પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો.બેંકો પાસેથી મળેલી માહિતી અનુસાર, 19 મે, 2023 સુધી ચલણમાં રહેલી ₹3.56 લાખ કરોડની ₹2000ની નોટોમાંથી ₹3.42 લાખ કરોડની નોટો બેન્કોને પરત કરવામાં આવી છે. 29 સપ્ટેમ્બરે બિઝનેસ બંધ થયા બાદ માત્ર 0.14 લાખ કરોડ રૂપિયા જ ચલણમાં રહ્યા હતા.

  


સ્ટોરી અપડેટ થઈ રહી છે... 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.