બ્રેકિંગ: મહુઆ મોઈત્રાનું સભ્ય પદ રદ્દ, લોકસભામાં ચર્ચા બાદ એથિક્સ કમિટીનો રિપોર્ટ મંજુર, વિપક્ષનું વોકઆઉટ


  • Published By :
  • Published Date : 2023-12-08 16:07:48

તૃણમૂલ કોંગ્રેસ(TMC)ની સાંસદ મહુઆ મોઈત્રાનું લોકસભા સભ્ય પદ રદ્દ કરવામાં આવ્યું છે. લોકસભામાં કેશ ફોર ક્વેરી મામલે એથિક્સ કમિટીની રિપોર્ટ રજુ કરવામાં આવી ત્યાર બાદ તેના પર ચર્ચા અને મતદાન થયું હતું.  વિપક્ષી સાંસદોએ આ દરમિયાન વોકઆઉટ કર્યું હતું, ત્યાર બાદ રિપોર્ટ મંજુર થઈ ગઈ હતી. એથિક્સ કમિટીએ તેની રિપોર્ટ પર મહુઆ પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને તેમની સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. રિપોર્ટ પર ચર્ચા દરમિયાન ટીએમસી, કોંગ્રેસ અને વિપક્ષી સાંસદોએ મહુઆ મોઈત્રાને બોલવાની એક તક આપવાની માગ કરી હતી. જો  કે બીજેપી સાંસદોએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો. સ્પિકરે પણ વિપક્ષની માગ ફગાવી દીધી હતી.  


BJP સાંસદ નિશિકાંત દુબેએ લગાવ્યો હતો આરોપ


મહુઆ મોઈત્રાનું લોકસભા સભ્ય પદ જવા માટે જે વ્યક્તિને જવાબદાર ઠરાવવામાં આવે છે તેમનું નામ નિશિકાંત દુબે છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ મહુઆ મોઈત્રા પર સૌપ્રથમ આરોપ લગાવ્યો હતો. નિશિકાંતે મહુઆ પર પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. દુબેએ સુપ્રીમ કોર્ટના વકીલ જય અનંતનો પત્ર બતાવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે લાંચની લેવડદેવડ મહુઆ અને હીરાનંદાની વચ્ચે થઈ હતી. દુબેએ આરોપ લગાવ્યો ત્યાર બાદ મહુઆએ બિજેપી સાંસદ નિશિકાંત દુબે અને જય અનંતને કાનુની નોટિસ ફટકારી હતી. મહુઆએ આ તમામ આરોપ પાયાવિહોણા ગણાવ્યા હતા.  

શા માટે ગયું સભ્યપદ?


ઉલ્લેખનિય છે કે ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા પર લોકસભાની વેબસાઈટનું લોગ-ઈન અને પાસવર્ડ વિદેશમાં રહેતા એક ભારતીય બિઝનેશમેન સાથે શેઅર કરવાનો આરોપ છે. બિજેપી સાંસદ નિશિકાંત દુબેના ખુલાસા બાદ ઘેરાયેલી મહુઆએ તેને મીડિયા સામે પણ સ્વિકાર્યો હતો. તેમની દલીલ છે કે લોગ-ઈન ડીટેલ તો સાંસદો કોઈની પણ સાથે શેર  કરે જ છે. જો કે મહુઆ મોઈત્રા પર ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરૂધ્ધ એજન્ડા ચલાવવા માટે હરિફ ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાની સાથે સાંઠગાઠનો આરોપ છે. હીરાનંદાનીએ તે પણ કહ્યું કે તેમણે અદાણી સામે સંસદમાં સવાલ ઉઠાવવા માટે મહુઆ મોઈત્રાને પૈસા અને મોંઘી ગિફ્ટ આપી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.