Madhya Pradesh Congressમાં ભંગાણ, કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કેસરિયો કર્યો ધારણ, Rahul Gandhiને લઈ શિવરાજસિંહ ચૌહાણે કહી વાત...


  • Published By :
  • Published Date : 2024-03-09 15:08:37

લોકસભા ચૂંટણીને લઈ ધીમે ધીમે માહોલ બની રહ્યો છે. એક તરફ ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે તો બીજી તરફ ચૂંટણીને લઈ આચાર સંહિતા લાગુ થાય તે પહેલા અનેક રાજ્યોમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ પીએમ મોદી દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ નેતાઓ દ્વારા એવા નિવેદન આપવામાં આવશે જેને લઈ ચર્ચાઓ થશે. ત્યારે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાહુલ ગાંધીને લઈ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે મહાત્મા ગાંધીના સૂચન મુજબ કોંગ્રેસને સંપૂર્ણ રીતે સમાપ્ત કર્યા પછી જ રાહુલ ગાંધી શ્વાસ લેશે. કોંગ્રેસના તમામ સારા નેતાઓ પાર્ટીના નેતૃત્વથી કંટાળી ગયા છે જે દિશાહીન છે...કોંગ્રેસ લુપ્ત થવાના આરે છે."


કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતાઓ જઈ રહ્યા છે પાર્ટી છોડીને

કોંગ્રેસની પરિસ્થિતિ દિન પ્રતિદિન ખરાબ થઈ રહી છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ પાર્ટીને છોડી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી રહ્યા છે. ગુજરાતમાં તો આના અનેક ઉદાહરણો સામે છે જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પાર્ટીનો સાથ છોડી રહ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યું છે એ ભલે ગુજરાત હોય કે પછી મધ્યપ્રદેશ. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. કોંગ્રેસના નેતૃત્વ પર અનેક વખત સવાલો થતા રહે છે. કોંગ્રેસનો સાથ છોડીને જઈ રહેલા નેતાઓને પણ કોંગ્રેસના નેતાઓ નથી પૂછતા કે પાર્ટી છોડવા પાછળનું કારણ શું છે? ગુજરાતમાં કોંગ્રેસનો સાથ છોડીને જઈ રહેલા નેતાઓનું કહેવું છે કે પાર્ટીમાં નેતૃત્વની કમી છે.



મધ્યપ્રદેશ કોંગ્રેસમાં જોવા મળ્યું ભંગાણા 

ગુજરાતમાંથી અનેક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો સાથ છોડીને જતા રહ્યા ત્યારે હવે મધ્યપ્રદેશ કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યું છે. મધ્યપ્રદેશના કોંગ્રેસના દિગ્ગજ સુરેશ પચૌરી ભાજપમાં જોડાવવા જઇ રહ્યાં છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મધ્યપ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુરેશ પચૌરી ભાજપમાં જોડાઇ રહ્યાં છે. એક તરફ કોંગ્રેસના નેતાઓ સાથ છોડીને જઈ રહ્યા છે તો બીજી તરફ ભાજપનું સંગઠન મજબૂત બની રહ્યું છે. રાહુલ ગાંધીને લઈ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે નિવેદન આપ્યું છે. 


શિવરાજસિંહ ચૌહાણે રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર!

રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ‘મેં પહેલેથી જ કહ્યું હતું કે, આઝાદી પછી મહાત્મા ગાંધીએ કોંગ્રેસને વિખેરી નાખવાનું કહ્યું હતું. અને નવા રાજકીય પક્ષની રચના કરવાનું કહ્યું હતું, પરંતુ જવાહરલાલ નેહરુએ સત્તાના સ્વાર્થને કારણે કોંગ્રેસને વિસર્જિત ન થવા દીધી અને આંદોલનનો ફાયદો ઉઠાવ્યો… પરંતુ રાહુલ ગાંધી મહાત્મા ગાંધીજીના સૂચન મુજબ કોંગ્રેસને સંપૂર્ણપણે નષ્ટ કર્યા પછી જ રાહતનો શ્વાસ લેશે. કોંગ્રેસના તમામ સારા નેતાઓ પાર્ટીના દિશાહીન નેતૃત્વથી કંટાળી ગયા છે. કોંગ્રેસ હવે લુપ્ત થવાના આરે છે. મહત્વનું છે કે જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ આવા શાબ્દિક પ્રહારો એકબીજા પર એક બીજાની પાર્ટી પર કરવામાં આવશે. જોવું રહ્યું કે ચૂંટણી પહેલા કેવા નવા ખેલ જોવા મળે છે. 



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.