AAPમાં ભંગાણ , આપના કાર્યકર્તા ભાજપમાં જોડાયા !!!


  • Published By :
  • Published Date : 2022-10-23 20:09:59



ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ દરેક પક્ષો પોતાની  તૈયારીયો કરી રહ્યા છે અને હવે પક્ષ પલટાનો દોર પણ ચાલી રહ્યો છે રોજ નેતાઓ અને કાર્યકર્તાઓ પક્ષપલ્ટો કરી રહ્યા છે. આ વચ્ચે ગુજરાતની ચૂંટણીમાં તમામ બેઠકો પર લડવા ઉતરી રહેલી આમ આદમી પાર્ટીને મોટો ફટકો લાગ્યો છે. જુનાગઢના વિસાવદરમાં AAP પ્રમુખ સહિતના કાર્યકરો આજે ભાજપમાં જોડાઈ ગયા હતા.


વિસાવદરમાં આપના કાર્યકર્તા ભાજપમાં જોડાયા 

વિસાવદર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ અને કાર્યકરોએ આજે ભાજપમાં જોડાઈ ગયા હતા. તમામે જિલ્લા કાર્યાલય ખાતે અધ્યક્ષ કિરીટ પટેલ તેમજ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાના હસ્તે કેસરિયો ખેસ પહેરી વિધિવત વિકાસયાત્રામાં જોડાયા હતા, જેમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અનિલભાઈ માલવયા, યુવા પ્રમુખ આશુતોષભાઈ રીબડીયા, યુવા ઉપપ્રમુખ દેવેનભાઈ સાવલિયા ભાજપમાં જોડાઈ ગયા.


આમ આદમી પાર્ટી અને ભાજપ આમને સામને હોય તેવું લાગી રહિયું છે ત્યારે જેમ આપના નેતાઓ ભાજપમાં જોડાયા એટલે આમ આદમી પાર્ટીમાં ભંગાણ થયું હોય તેવી સ્થિત થઈ છે મોટી સંખ્યામાં આપના આગેવાનો ભાજપમાં જોડાયા છે 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.