સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ખોડિયાર માતાજી અંગે કર્યો બફાટ, અનેક સમાજમાં આક્રોશ, VEDIO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-09-13 15:26:02

સાળંગપુરના ભીંતચિત્રોના વિવાદ માંડ થાળે પડ્યો છે ત્યા વળી સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સંતે બફાટ કરતા મામલો વણસ્યો છે. રાજકોટ ખાતેની એક સભામાં સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી બ્રહ્મસ્વરૂપ દાસે ખોડિયાર માતાજી અંગે વિવાદીત ટિપ્પણી કરી દીધી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામી દ્વારા રાજરાજેશ્વરી માતા ખોડીયાર માતાજી વિશેની ટિપ્પણી કરતા અનેક સમજના કુળદેવી એવા ખોડિયાર માતાજીના ભક્તોની લાગણી દુભાઈ છે. જેને લઈને અનેક સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજકોટ ખાતેની એક સભામાં સ્વામી બ્રહ્મસ્વરૂપે ખોડિયાર માતાજી અંગે વિવાદીત ટિપ્પણી કરતા કહ્યું  હતું કે મહારાજે તેમના ભીના કપડા ખોડિયાર માતા પર નિચવ્યા હતા. બ્રહ્મસ્વરૂપ સ્વામીનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે. તેમના આ નિવેદન પર લોક કલાકાર રાજભા ગઢવી, કબરાઉ મોગલ ધામના મણિધર બાપુ તથા કાગવડ ખોડલધામના પ્રવક્તા હરસુખ લુણાગરિયા તથા માટેલ ખોડીયાર માતાજી મંદિરનાં મહંત ચેતનબાપુએ ઉગ્ર પ્રતિક્રિયા આપી છે.


બ્રહ્મસ્વરૂપ સ્વામીએ શું બફાટ કર્યો?


બ્રહ્મસ્વરૂપ સ્વામી બફાટ કરી રહ્યા છે કે, સ્વામિનારાયણમાં આવ્યા પછી કુળદેવી ના હોય. સ્વામિનારાયણમાં આવો એટલે ખોડિયાર માતા પણ ખુશ થાય છે. બ્રહ્મસ્વરુપ સ્વામીએ જણાવ્યું કે, ખોડિયાર માતા પર સ્વામીએ પાણી નિચવ્યું હતું. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ વધુમાં કહ્યું હતું કે, 'જોબનપગીના કુળદેવી ખોડિયાર મા છે, પણ હવે આપણા ભગત થયા એટલે તેમને કુળદેવી તરીકે મહાલક્ષ્મી કહેવા પડે. તેમણે વધુમાં કહ્યું કે, ઘણાં કુળદેવી પકડી રાખે છે મુકતા નથી પણ તેમને મુકી દેવા પડે છે. જાણે કે, કુળદેવી નારાજ થઈ જશે પરંતુ નારાજ ન થાય પગે લાગે. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ઉમેર્યું કે, મહારાજ રંગોત્સવ કરીને જોબનપગીના ખેતરમાં ન્હાવા ગયા ત્યારે મહારાજે પૂછ્યું કે, આ કોણ છે ત્યારે તેમણે કહ્યું કે, આ અમારા કુળદેવી છે ત્યારે મહારાજે તેમના ભીના કપડા નીચોવી માતાજી ઉપર છાંટ્યા અને કહ્યું કે, તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા.'


રાજભા ગઢવીએ  સનાતનીઓને જાગવાની હાકલ કરી


સ્વામી બ્રહ્મસ્વરૂપના ખોડિયાર માતાજીના વિવાદિત નિવેદન બાદ રાજભા ગઢવીનું નિવેદન સામે આવ્યું છે.  રાજભા ગઢવી લોક ડાયરામાં સનાતનીઓને જાગવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, "કુળદેવી, સુરાપુરા અને ઇષ્ટદેવથી દૂર કરવાની વાત કરનારની બોચી પકડો. હવે આપણે આ તૈયારી કરવી પડશે, ક્યા સુધી આપણે સહન કરીશુ. વધુમાં રાજભાએ કહ્યું કે, માતાજીએ રાક્ષસોને હણ્યા છે હવે તમારો વારો છે ખોડિયાર માતા વિશે બોલનારાઓને અને કુળદેવીથી દૂર કરનારાઓને માતાજી નાશ કરશે." 


કબરાઉ મોગલ ધામના મણિધર બાપુ લાલઘૂમ


ખોડિયાર માતાજી પરના નિવેદન મામલે કબરાઉ મોગલ ધામના મણિધર બાપુનું નિવેદન સામે આવ્યું છે. બાપુએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે હરામનુ ખાઈ ખાઈને એની બુદ્ધિ બહેર મારી ગઈ છે. મણીધર બાપુએ જણાવ્યું છે કે,‘મા ખોડિયારનું તમે અપમાન કરો છો. હવે તમને હાંકી કાઢવાના છે, ખદેડવાના છે. ધર્મ સામે રાક્ષસો ન બોલવાના બોલે ત્યારે મા ભેળી હોય છે. આ રાક્ષસ કોઈ બોલી ગયો છે 25-50 માણસો જઈ એને બહાર કાઢીને ઢસડો, ખાખરાની ખિસકોલી આંબાનો રસ શું જાણે? તમે હરામનું જ ખાઈ રહ્યા છો જેટલા પણ આવા રાક્ષસો છે એને ખદેડવાના છે.સ્વામિનારાયણના સંતો હદ વટાવી રહ્યા છે. સ્વામિનારાયણના સંતો રાક્ષસ જેવા છે. માતા ખોડિયારનું અપમાનએ અઢારે વરણનું અપમાન છે. ઝેર ઓકતા સંતો સામે કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે." ટ્રસ્ટીઓએ આવા બફાટ કરનારને ખદેડી મૂકવા જોઈએ. સાધુડા બહાર નીકળીશું ત્યારે કોઈ ભાવ નહીં પૂછે. આ આતંકવાદીઓ છે, આ શેતાનો છે. આને આ દેશમાં રહેવાનો અધિકાર નથી. ટાઢા ટૂકડા ખાય એને સંત કહેવાય.’


સ્વામીજીના નિવેદનથી લોક લાગણીને ઠેસ પહોંચી- ખોડલધામ


કાગવડ ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરિયાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, સ્વામીજીના નિવેદનથી લોક લાગણીને ઠેસ પહોંચી છે, તેમણે આ બાબતે માફી માગવી જોઈએ. તેમણે કહ્યું કે, બ્રહ્મસ્વરૂપ સ્વામીના વીડિયોથી સમાજની લાગણી દૂભાઇ છે. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરે તેમજ ખોડિયાર માતાને અનેક સમાજના કુળદેવી છે. લુણાગરિયાએ વધુમાં કહ્યું કે, સ્વામિનારાયણ સંતો આવા નિવેદન આપવાથી બચે. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ખોડિયાર માતા પર આપત્તિજનક ટિપ્પણી કરી છે, આવુ કરનારા પોતે સાબીત કરે છે કે પોતે ધર્મને લાયક નથી.


બ્રહ્મસ્વરૂપદાસ દ્વારા માફી માંગે- મહંત ચેતનબાપુ


આજે વિશ્વપ્રસિદ્ધ માટેલ ખોડીયાર માતાજી મંદિરનાં મહંત અને પૂજારી ચેતનબાપુની આગેવાનીમા મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે વિશાળ ભક્તજનોની હાજરી વચ્ચે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવાયું છે કે રાજરાજેશ્વરી માતા ખોડિયાર માતા વિષે ટિપ્પણી કરી સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી બ્રહ્મસ્વરુપ દાસે સેંકડો માઇભક્તોના દિલ દુભાવ્યા છે, જેથી આગામી દસ દિવસમાં બ્રહ્મસ્વરુપ દાસ માતાજીની માફી માંગતો વિડીયો પ્રસારિત કરે અન્યથા ફોજદારી રાહે ફરિયાદ કરવામાં આવશે.




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!