Botadના ધારાસભ્ય Umesh Makwanaનો અનોખો પત્ર ચર્ચાનો વિષય બન્યો,લખ્યું કે મારી સંપત્તિની તપાસ કરાવો!


  • Published By :
  • Published Date : 2023-12-11 14:41:37

જ્યારે કોઈ નકલી વસ્તુનું કૌભાંડ પકડાય છે ત્યારે અનેક વખત આપણે કહેતા હોઈએ છીએ કે મંત્રી, અધિકારીઓની મીલીભગત હશે. અનેક વખત આપણે કહેતા હોઈએ છીએ કે ચૂંટણી પહેલા ધારાસભ્ય પાસે આટલી મિલકત હતી અને ચૂંટણી બાદ રકમમાં મસમોટો ફેરફાર થઈ જતો હોય છે. સામાન્ય રીતે આપણે જોયું, સાંભળ્યું હશે કે ધારાસભ્યો, અધિકારીઓ તપાસથી ડરતા હોય છે પરંતુ આજે એક એવા ધારાસભ્યની વાત કરવી છે જેમણે સામે ચાલીને તેમની પર તપાસ કરાવવામાં આવે તેવી માગ કરી છે.  એવા કોઈ ધારાસભ્ય કે નેતા એવા જોયા છે જે પોતે જ કહે કે મારા પર તપાસ બેસાડો મારી આવક અને સંપત્તિની સીબીઆઈ દ્વારા તપાસ કરાવો.. જી હા ગુજરાતના એક ધારાસભ્યએ આવી માંગ કરી લેટર લખ્યો છે. 

બોટાદના ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર!

આપણી સિસ્ટમમાં ભ્રષ્ટાચાર એક મોટી બિમારી બની રહી છે. ભ્રષ્ટાચારનો કિડો દરેક વ્યવસાયમાં, સંસ્થાઓમાં મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય છે. કોઈ વખત એ ભ્રષ્ટાચારની પોલ ખુલે છે તો કોઈ વખત ભ્રષ્ટાચાર સામે પણ નથી આવતો. ભારતમાં ભ્રષ્ટાચારની શરૂઆત અંગ્રેજ સરકારના સમયગાળામાં થઇ હતી. વર્ષોથી ભ્રષ્ટાચાર સિસ્ટમનો એક ભાગ થઈ ગયો છે અને આ વાત આપણે સૌ કોઈ જાણીયે છીએ. આમ છતાં ભ્રષ્ટાચારના વધતા જતા સડાને અંકુશમાં રાખવા ACB, CBI સહિતની એજન્સીઓ કાર્યરત છે. Gujarat બોટાદ વિધાનસભા  બેઠકના MLA ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને આ પત્ર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 


તેમની સંપત્તિની તપાસ કરાવવા ધારાસભ્યએ કરી માગ 

બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સંબોધી એક પત્ર લખ્યો છે જેની ચર્ચાઓ થઈ રહી છે. ધારાસભ્યએ પોતે માગ કરી છે કે પોતાની આવક અને સંપત્તિની એસીબી, ઇડી અથવા સીબીઆઈ દ્વારા તપાસ કરાવવામાં આવે. અને સાથોસાથ ગુજરાતના તમામ ધારાસભ્ય, સાંસદસભ્યો, મંત્રીઓ, આઈપીએસ અને આઈએએસ અધિકારીઓની આવક અને સંપત્તિની તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. વધુમાં તપાસનો અહેવાલ જનતા સમક્ષ ઓનલાઇન મુકવામાં માગ કરી હતી. કદાચ આ આવા પહેલા ધારાસભ્ય છે. જેઓ પોતે પોતાની આવક અને સંપત્તિની તપાસની માગ કરી હોય.


આઈપીએસ-ધારાસભ્ય પાસેથી રાખી આશા

ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કહ્યું કે એક વર્ષમાં મેળવેલો પગાર, અન્ય કમાણી અને મારી મિલકત જાહેર કરીશ. હું બાકી ધારાસભ્યો, મંત્રીઓ, સાંસદ સભ્યો અને ખાસ કરીને IAS – IPS અધિકારી પાસે આવી જ અપેક્ષા રાખું છું. મહત્વનું છે કે ધારાસભ્ય દ્વારા લખવામાં આવેલા પત્રને લઈ ચર્ચાઓ થઈ રહી છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!