સરહદી વિસ્તારનો ખેડૂત પાણીમાં તરતો પાક વીણવા મજબૂર


  • Published By : Admin
  • Published Date : 2023-09-20 17:09:06

સરહદી વિસ્તારના વાવ થરાદ અને સૂઇગામ તાલુકામાં લાંબા સમયની રાહ જોયા બાદ આવેલ વરસાદે ખેડૂતોને નુકશાનના ઘેરામાં લાવી દીધા છે બાજરી અને જુવારના કાપણી કરેલ પાક ઉપર વરસાદ પડતાં ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે આ વિસ્તારમાં જગતનો તાત ચાલુ વરસાદે પણ પાણીમા તરી રહેલ પાકને વીણવા મજબૂર

બનાસકાંઠા જિલ્લામાં વાવ ,થરાદ સૂઇગામ જેવા અનેક તાલુકાના ગામડાઓમાં દોઢ મહિનાના લાંબા વિરામ બાદ મેઘમહેર થઈ છે હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં ગાજ વીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે જેને લઇ ખેડૂતો અને પશુપાલકો સહિત જિલ્લા વાસીઓમા ખુશી જોવા મળી  પરંતુ ચોમાસુ પાક તૈયાર થઈ ગયા ઉપર વરસાદ વરસતા ધરતીપુત્રોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કાપણી કરેલા બાજરીના પાક ઉપર વરસાદ પડતાં બાજરી અને ઘાસચારો નષ્ટ થવાની શક્યતા વચ્ચે કુદરત સામે લાચાર બનેલા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.જિલ્લામાં વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોએ વાવેતર કર્યા બાદ વરસાદે વિરામ લઇ લીધો હતો જેના કારણે પાકને પૂરતું પાણી નહિ મળતા પાક મુરઝાઈ ગયો હતો જેને કારણે ખેડૂતોએ પાકની કાપણી કરવાનું ચાલુ કર્યું હતું અને કાપણી કર્યા બાદ વરસાદનું આગમન થતાં ઘાસચારો અને બાજરીના પાકને મોટું નુકસાન પહોચ્યું છે.જેને લઇ ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.