રાજ્યમાં બુટલેગરો બેફામ, સુરેન્દ્રનગરના ઝીંઝુવાડામાં પોલીસ કાફલા પર હુમલો, PSI ગંભીર રીતે ઘાયલ


  • Published By :
  • Published Date : 2024-01-05 20:53:36

ગુજરાતમાં બુટલેગરોને જાણે કાયદાનો ભય જ રહ્યો નથી, બુટલેગરો એટલા બેફામ થયા છે કે પોલીસ પર પણ હુમલાઓ કરે છે. સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા ગામમાં પોલીસ પર હુમલાની ઘટના બની છે. ઝીંઝૂવાડા પોલીસ સ્ટેશનના PSI પર જીવલેણ હુમલો થતા લોહીલુહાણ હાલતમાં સારવાર માટે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઝીંઝૂવાડા પોલીસ સ્ટેશનની ટીમ બુટલેગરને પકડવા ગઈ હતી તે દરમિયાન હુમલાની ઘટના બની હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ધોળે દિવસે પોલીસ પર હુમલો થતાં ચકચાર મચી ગઈ છે.


તીક્ષ્ણ હથિયાર વડે હુમલો

 

સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના જેનાબાદ ગામેથી જાલમસિંહ નામના આરોપીને પકડીને પોલીસનો કાફલો પરત ફરી રહ્યો હતો ત્યારે ઝીંઝુવાડા ગામના ચોકમાં આરોપીના સાગરીતે પોલીસ પર હુમલો કર્યો હતો. જાલમસિંહ નામના આરોપી સામે લૂંટ, દારૂ, મારામારી સહિતના  અનેક ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે. દારૂના કેસમાં છેલ્લા ઘણા સમયથી આરોપી વોન્ટેડ હતો. ટોળાએ છરી સહિતના તીક્ષ્ણ હથિયાર વડે PSI કે.વી. ડાંગરને છાતીમાં છરીના ઘા માર્યાની માહિતી મળી રહી છે. PSIને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. PSI સાથે અન્ય એક પોલીસ કર્મચારીને પણ ઈજા થઈ હતી. બીજી તરફ ઘટનાના પગલે પોલીસ દ્વારા આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ પર આ રીતે ખુલ્લેઆમ હુમલો થતા DYSP, SOG અને LCB સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.


ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો રવાના


ઝીંઝુવાડા ગામમાં PSI સહિતના પોલીસ કાફલા પર હુમલો કરી આરોપીઓ પોતાની કાર લઈ નાસી છૂટતાં સુરેન્દ્રનગરની પોલીસે તેમને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. આ ઘટનાના પગલે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો રવાના થઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. હાલ તો બુટલેગર પોલીસ પર હુમલો કરી ફરાર થઇ ગયો છે. બુટલેગરો અને બેફામ બનેલા અસામાજિક તત્વોને કારણે સામાન્ય નાગરિકો પણ પરેશાન છે હાલ પંથકમાં અજંપાભરી સ્થિતી પ્રવર્તી રહી છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!