બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત પહોંચી દ્વારકા, દ્વારકાધીશના કર્યા દર્શન, રાજનિતીમાં એન્ટ્રી અંગે કર્યો આ મોટો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-11-03 14:51:02

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને લઈને ફરી એકવાર ચર્ચા શરૂ થઈ ગઈ છે. કંગના રનૌતે રાજકારણમાં આવવાના સંકેત આપ્યા છે. કંગના રનૌતનું તાજેતરનું નિવેદન સૂચવે છે કે તે લોકસભાની ચૂંટણી લડી શકે છે. ગુજરાતના દ્વારકા સ્થિત દ્વારકાધીશ મંદિરના દર્શને પહોંચી હતી. દ્વારકાધીશના દર્શન કરવા આવેલી કંગનાએ કહ્યું કે જો ભગવાન કૃષ્ણ ઈચ્છશે તો તે ચોક્કસથી ચૂંટણી લડશે. કંગના રનૌતના આ નિવેદન પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તેણે 2024ની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે. તેણે દ્વારકા પહોંચી સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી હતી અને મીડિયા સાથેની વાતચીતમાં લોકસભા ઈલેક્શન લડશે તેવી વાત પણ કહી હતી.


દ્વારકા પહોંચી કંગનાએ શું કહ્યું?


દ્વારકાધીશ મંદિરના દર્શન કર્યા બાદ કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ કરી હતી. કંગન રનૌતે લખ્યું કે "મારું હૃદય કેટલાક દિવસોથી ખૂબ જ વ્યાકુળ હતું, મને દ્વારકાધીશના દર્શન કરવાનું મન થયું, શ્રી કૃષ્ણની આ દિવ્ય નગરી દ્વારકામાં આવતાની સાથે જ અહીંની ધૂળના દર્શન કરીને એવું લાગ્યું કે જાણે મારી બધી ચિંતાઓ તૂટીને મારા ચરણોમાં આવી પડી છે. મારું મન સ્થિર થઈ ગયું અને મને અનંત આનંદની અનુભૂતી થઈ. હે દ્વારકાધીશ આ જ પ્રકારે તમારી કૃપા વરસાવતા રહેજો. હરે કૃષ્ણ!"


કંગના કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડશે?


કંગના રનૌત ભાજપની ટિકિટ પર ચૂંટણી મેદાને ઉતરે તેવી સંભાવના છે. જેનું કારણ કંગના બીજેપીની વિચારધારાની ખૂબ નજીક છે. કંગના રનૌત ઘણીવાર જાહેર મંચ પર ભાજપને સમર્થન કર્યું છે. ઉલ્લેખનિય છે કે તાજેતરમાં કંગના રનૌતની ફિલ્મ તેજસ અભિનેત્રીની હાજરીમાં સીએમ યોગી આદિત્યનાથ સહિત યુપીના તમામ મોટા નેતાઓએ જોઈ હતી. એવી અટકળો છે કે કંગના રનૌત ભાજપમાંથી ટિકિટ માંગી શકે છે. ભાજપના નેતાઓ સાથેની તેની મુલાકાત અને હિંદુત્વ અંગે કંગનાના નિવેદનો તેને ભાજપની નજીક લાવે છે.






હમણાં થોડાક સમય પેહલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં હુથી બળવાખોરો પર યમનમાં બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા . પરંતુ જયારે ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર થકી સ્ટ્રાઇક કરી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પનું બેવડું વલણ બહાર આવ્યું . શરૂઆતમાં ભારતને તેમણે કહ્યું કે આતંકવાદની સામેની લડાઈમાં અમે ભારત જોડે છીએ. હવે તેઓ પાકિસ્તાન અને ભારત વચ્ચે સમાધાન કરવા નીકળી પડ્યા છે. આમ તેઓ બાપ બનવા નીકળી પડ્યા છે.

હાલના સમયમાં યુદ્ધ ક્ષેત્રે ડ્રોનનું મહત્વ વધી ગયું છે. યુદ્ધ ક્ષેત્રે ડ્રોનના ઉપયોગની શરૂઆત અમેરિકા દ્વારા કરવામાં આવી . અમેરિકાએ તેનો ઉપયોગ ઇરાક અને અફઘાનિસ્તાનમાં વ્યાપક રીતે કર્યો હતો . પરંતુ હવે આપણે ઓપરેશન સિંદૂર પછી જોયું કે પાકિસ્તાને આપણી પર ડ્રોનથી ઘણા હુમલા કર્યા છે . તો આજે આપણે સમજીશું ડ્રોનનું મહત્વ છે શું અને ભારત પાસે ક્યા ક્યા ડ્રોન્સ છે.

IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?