બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત પહોંચી દ્વારકા, દ્વારકાધીશના કર્યા દર્શન, રાજનિતીમાં એન્ટ્રી અંગે કર્યો આ મોટો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-11-03 14:51:02

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને લઈને ફરી એકવાર ચર્ચા શરૂ થઈ ગઈ છે. કંગના રનૌતે રાજકારણમાં આવવાના સંકેત આપ્યા છે. કંગના રનૌતનું તાજેતરનું નિવેદન સૂચવે છે કે તે લોકસભાની ચૂંટણી લડી શકે છે. ગુજરાતના દ્વારકા સ્થિત દ્વારકાધીશ મંદિરના દર્શને પહોંચી હતી. દ્વારકાધીશના દર્શન કરવા આવેલી કંગનાએ કહ્યું કે જો ભગવાન કૃષ્ણ ઈચ્છશે તો તે ચોક્કસથી ચૂંટણી લડશે. કંગના રનૌતના આ નિવેદન પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તેણે 2024ની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે. તેણે દ્વારકા પહોંચી સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી હતી અને મીડિયા સાથેની વાતચીતમાં લોકસભા ઈલેક્શન લડશે તેવી વાત પણ કહી હતી.


દ્વારકા પહોંચી કંગનાએ શું કહ્યું?


દ્વારકાધીશ મંદિરના દર્શન કર્યા બાદ કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ કરી હતી. કંગન રનૌતે લખ્યું કે "મારું હૃદય કેટલાક દિવસોથી ખૂબ જ વ્યાકુળ હતું, મને દ્વારકાધીશના દર્શન કરવાનું મન થયું, શ્રી કૃષ્ણની આ દિવ્ય નગરી દ્વારકામાં આવતાની સાથે જ અહીંની ધૂળના દર્શન કરીને એવું લાગ્યું કે જાણે મારી બધી ચિંતાઓ તૂટીને મારા ચરણોમાં આવી પડી છે. મારું મન સ્થિર થઈ ગયું અને મને અનંત આનંદની અનુભૂતી થઈ. હે દ્વારકાધીશ આ જ પ્રકારે તમારી કૃપા વરસાવતા રહેજો. હરે કૃષ્ણ!"


કંગના કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડશે?


કંગના રનૌત ભાજપની ટિકિટ પર ચૂંટણી મેદાને ઉતરે તેવી સંભાવના છે. જેનું કારણ કંગના બીજેપીની વિચારધારાની ખૂબ નજીક છે. કંગના રનૌત ઘણીવાર જાહેર મંચ પર ભાજપને સમર્થન કર્યું છે. ઉલ્લેખનિય છે કે તાજેતરમાં કંગના રનૌતની ફિલ્મ તેજસ અભિનેત્રીની હાજરીમાં સીએમ યોગી આદિત્યનાથ સહિત યુપીના તમામ મોટા નેતાઓએ જોઈ હતી. એવી અટકળો છે કે કંગના રનૌત ભાજપમાંથી ટિકિટ માંગી શકે છે. ભાજપના નેતાઓ સાથેની તેની મુલાકાત અને હિંદુત્વ અંગે કંગનાના નિવેદનો તેને ભાજપની નજીક લાવે છે.






21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.