બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત પહોંચી દ્વારકા, દ્વારકાધીશના કર્યા દર્શન, રાજનિતીમાં એન્ટ્રી અંગે કર્યો આ મોટો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-11-03 14:51:02

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને લઈને ફરી એકવાર ચર્ચા શરૂ થઈ ગઈ છે. કંગના રનૌતે રાજકારણમાં આવવાના સંકેત આપ્યા છે. કંગના રનૌતનું તાજેતરનું નિવેદન સૂચવે છે કે તે લોકસભાની ચૂંટણી લડી શકે છે. ગુજરાતના દ્વારકા સ્થિત દ્વારકાધીશ મંદિરના દર્શને પહોંચી હતી. દ્વારકાધીશના દર્શન કરવા આવેલી કંગનાએ કહ્યું કે જો ભગવાન કૃષ્ણ ઈચ્છશે તો તે ચોક્કસથી ચૂંટણી લડશે. કંગના રનૌતના આ નિવેદન પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તેણે 2024ની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે. તેણે દ્વારકા પહોંચી સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી હતી અને મીડિયા સાથેની વાતચીતમાં લોકસભા ઈલેક્શન લડશે તેવી વાત પણ કહી હતી.


દ્વારકા પહોંચી કંગનાએ શું કહ્યું?


દ્વારકાધીશ મંદિરના દર્શન કર્યા બાદ કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ કરી હતી. કંગન રનૌતે લખ્યું કે "મારું હૃદય કેટલાક દિવસોથી ખૂબ જ વ્યાકુળ હતું, મને દ્વારકાધીશના દર્શન કરવાનું મન થયું, શ્રી કૃષ્ણની આ દિવ્ય નગરી દ્વારકામાં આવતાની સાથે જ અહીંની ધૂળના દર્શન કરીને એવું લાગ્યું કે જાણે મારી બધી ચિંતાઓ તૂટીને મારા ચરણોમાં આવી પડી છે. મારું મન સ્થિર થઈ ગયું અને મને અનંત આનંદની અનુભૂતી થઈ. હે દ્વારકાધીશ આ જ પ્રકારે તમારી કૃપા વરસાવતા રહેજો. હરે કૃષ્ણ!"


કંગના કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડશે?


કંગના રનૌત ભાજપની ટિકિટ પર ચૂંટણી મેદાને ઉતરે તેવી સંભાવના છે. જેનું કારણ કંગના બીજેપીની વિચારધારાની ખૂબ નજીક છે. કંગના રનૌત ઘણીવાર જાહેર મંચ પર ભાજપને સમર્થન કર્યું છે. ઉલ્લેખનિય છે કે તાજેતરમાં કંગના રનૌતની ફિલ્મ તેજસ અભિનેત્રીની હાજરીમાં સીએમ યોગી આદિત્યનાથ સહિત યુપીના તમામ મોટા નેતાઓએ જોઈ હતી. એવી અટકળો છે કે કંગના રનૌત ભાજપમાંથી ટિકિટ માંગી શકે છે. ભાજપના નેતાઓ સાથેની તેની મુલાકાત અને હિંદુત્વ અંગે કંગનાના નિવેદનો તેને ભાજપની નજીક લાવે છે.






ગઈકાલે બ્રિટેનમાં સત્તા પરિવર્તન થઈ.. ઋષિ સુનકની પાર્ટીની હાર થઈ અને લેબર પાર્ટીનો વિજય થયો. ત્યારે આજે ઈરાનમાં થયેલી ચૂંટણીનું પરિણામ આવ્યું છે.. ઈરાનમાં મસૂદ પેઝેશ્કિયન દેશના 9મા રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને 30 લાખથી વધુ મતથી હરાવ્યા હતા. એટલે હવે ઈરાનમાં સૂદ પેઝેશ્કિયન રાજ જોવા મળવાનો છે..

પ્રેમમાં પાગલ અનેક લોકો હોય છે. પ્રેમીઓ એક બીજાના વિચારોમાં જ ખોવાયેલા દેખાતા હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના.

ભાજપની કારોબારી બેઠક પૂર્ણ થઈ ગઈ છે જે બાદ જલ્દી જ પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થશે તેવી સંભાવના છે. ગઈકાલે કારોબારી બેઠક દરમિયાન સી.આર.પાટિલે પોતાના ભાષણમાં ઘણા એવા મુદ્દા પર વાત કરી જે ચર્ચાનો વિષય બની છે. ચૂંટણી બાદ ફરી એક વાર સી.આર.પાટિલે ક્ષત્રિય સમાજને યાદ કર્યો છે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુઓ પર આપેલા નિવેદનને લઈ ગત 2 જુલાઈના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સામ- સામે પથ્થરમારો થયો હતો. આ ઘટના બાદ હવે રાહુલ ગાંધી પણ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર આવી રહ્યા છે.