કોર્ટે EDની ઝાટકણી કાઢી, "પુરાવા હોવા છતાં તમે જેક્લિન ફર્નાન્ડિઝની ધરપકડ કેમ ન કરી?"


  • Published By :
  • Published Date : 2022-11-10 15:31:43

બોલિવુડ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝની મુશ્કેલી વધી રહી છે. તેના રેગ્યુલર જામીન પર કાલે નિર્ણય થશે.  પટિયાલા કોર્ટે ઓર્ડર કાલ સુધી ઓર્ડર મુલતવી રાખ્યો છે. આજે જેક્લિન અને પિંકી ઈરાની કોર્ટમાં હાજર થઈ હતી. કોર્ટે પિંકીના વકીલને પુછ્યું કે તમને તમામ દસ્તાવેજોની કોપી મળી ગઈ છે. 




જેક્લિનના વકીલે કહ્યું કે તે  તપાસમાં સહયોગ આપી રહી છે, અને તેમ છતાં પણ તેના પર દેશ છોડીને ભાગી જવાનો આરોપ થઈ રહ્યો છે. જેક્લિનના વકીલે તેના અસીલને રેગ્યુલર જામીન મળવા જોઈએ તેવી દલીલ કરી હતી. જો કે ઈડીએ તેના જામીનનો વિરોધ કર્યો હતો. ઈડીએ પુરાવા સાથે છેડછાડની આશંકા વ્યક્ત કરી હતી. વળી જેક્લિને ઈડીના કોઈ સવાલનો જવાબ સ્પષ્ટ રીતે આપ્યો નથી. 


કોર્ટે ઈડીની ઝાટકણી કાઢી


કોર્ટે ઈડીને સવાલ કર્યો કે જો તમારી પાસે જેક્લિનની સામે સંપુર્ણ પુરાવા છે તો તમે તેની ધરપકડ કેમ નથી કરતા?  તમે એલઓસી તો જારી કરી છે પણ જેક્લિનની ધરપકડ કેમ નથી કરી? આ કેસના તમામ આરોપી જેલમાં છે તો કોર્ટે ઈડીને પુછ્યું  કે તમે પિક એન્ડ ચૂઝની નીતિ શા માટે અપનાવી રહ્યા છો? કોર્ટે પુછ્યું કે આ કેસમાં તપાસનું વર્તુળ કેટલું મોટું છે? 100 કરોડ રૂપિયા ક્યા ગયા? તપાસ ક્યા સુધી પહોંચી છે?



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.