BOBના ખાતાધારકોએ રોકડ ઉપાડવા માટે UAEમાં લાઈન લગાવી, કારણ જાણી ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-02-27 14:16:41

હિંડનબર્ગ રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રુપના શેરો દરરોજ ધડાધડ તુટી રહ્યા છે. જો કે તેના કારણે બેંકિગ શેરો પર પણ અસર થઈ રહી છે.દેશની મોટી રાષ્ટ્રિયકૃત બેંકોના શેરો પણ છેલ્લા કેટલાક દિવસોથી ધરાશાઈ થઈ રહ્યા છે. જો કે તેમાં પણ સૌથી ખરાબ હાલત બેંક ઓફ બરોડાની થઈ છે. બેંક ઓફ બરોડાના ખાતાધારકો પણ હવે તેમની રોકડ ઉપાડવા માટે લાઈનો લગાવી રહ્યા છે.


શા માટે સર્જાઈ આ સ્થિતી?


તાજેતરમાં બેંક ઓફ બરોડાના સીઈઓ અને એમડી સંજીવ ચઢ્ઢાએ એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે બેંક અદાણી ગ્રુપને આગળ પણ લોન આપવાનું ચાલુ રાખશે. ચઢ્ઢાએ કહ્યું હતું કે અદાણી જૂથની લોનની દરખાસ્ત મંજૂર કરવામાં આવશે. બેંક ઓફ બરોડાના સીઈઓ અને એમડી સંજીવ ચઢ્ઢાની આ જાહેરાત બાદ દેશભરમાં હડકંપ મચી ગયો છે. દેશ અને વિદેશમાં BOBની બ્રાન્ચ સામે લોકો તેમના ખાતા બંધ કરાવવા માટે સવારથી જ લાઈનો લગાવી રહ્યા છે. 


UAEનો વીડિયો વાયરલ


UAEમાં લોકો લાંબી કતારોમાં ઉભા રહીને તેમના બેંક ઓફ બરોડાના ખાતા બંધ કરી રહ્યા છે. BOBના CEOએ અદાણી ગ્રુપને લોન આપવાનું ચાલુ રાખવાનું કહ્યું હોવાથી લોકો નારાજ છે? UAEમાં બેંક ઓફ બરોડાની શાખા બહાર લોકોની લાંબી લાઈનો લાગી છે તેવો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. BOBની અલ આઈન શાખાની બહાર લાઈનોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર થઈ રહી છે. 



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.