આસામની બ્રહ્મપુત્રા નદીમાં બોટ ડુબી, એક સરકારી અધિકારી સહિત 10 લાપતા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 14:09:35

આસામની બ્રહ્મપુત્રા નદીમાં બોટ પલ્ટી મારી હતી.જે બોટમાં કુલ 20 લોકો સવાર હતા અકસ્માત જેમાંથી 10 લોકો સુરક્ષિત રીતે બહાર આવી ગયા હતા પરંતુ અન્ય 10 લોકો લાપતા છે એની શોધખોળ ચાલી રહી છે

 


ધુબરીના મહેસૂલ અધિકારી સંજુ દાસ સહિત 20થી વધુ લોકો બોટમાં સવાર હતા. બોટ પલટી જવાની માહિતી મળતા જ વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 10 લોકો બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. SDRF, NDRF અને પોલીસ કર્મચારીઓની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

छवि

આસામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સી.ઈ.ઓ જ્ઞાનેન્દ્ર દેવ ત્રિપાઠીએ આ દુર્ઘટના અંગે માહિતી આપી હતી. માહિતી મળતા જ વરિષ્ઠ જિલ્લા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતનો ભોગ બનેલી બોટ સ્વદેશી બનાવટની મિકેનિકલ બોટ છે. SDRF, NDRF અને પોલીસ કર્મચારીઓની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

छवि

મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના ગુરુવારે સવારે ધુબરી જિલ્લાના ભાસાની નગર સ્થિત બ્રહ્મપુત્રા નદીમાં થઈ હતી. ધુબરીના મહેસૂલ અધિકારી સંજુ દાસ સહિત 20થી વધુ લોકો બોટમાં સવાર હતા. બોટ પલટી જવાની માહિતી મળતા જ વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બોટમાં સવારે લગભગ 20 લોકોમાંથી 10 લોકો બહાર નીકળવામાં સફળ રહ્યા, પરંતુ રેવન્યુ ઓફિસર સંજુ દાસ સહિત 10 લોકો લાપતા છે. સર્ચ ઓપરેશન ચાલુ છે પરંતુ હજુ સુધી કોઈનો પત્તો લાગ્યો નથી.



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.