આસામની બ્રહ્મપુત્રા નદીમાં બોટ ડુબી, એક સરકારી અધિકારી સહિત 10 લાપતા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 14:09:35

આસામની બ્રહ્મપુત્રા નદીમાં બોટ પલ્ટી મારી હતી.જે બોટમાં કુલ 20 લોકો સવાર હતા અકસ્માત જેમાંથી 10 લોકો સુરક્ષિત રીતે બહાર આવી ગયા હતા પરંતુ અન્ય 10 લોકો લાપતા છે એની શોધખોળ ચાલી રહી છે

 


ધુબરીના મહેસૂલ અધિકારી સંજુ દાસ સહિત 20થી વધુ લોકો બોટમાં સવાર હતા. બોટ પલટી જવાની માહિતી મળતા જ વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 10 લોકો બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. SDRF, NDRF અને પોલીસ કર્મચારીઓની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

छवि

આસામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સી.ઈ.ઓ જ્ઞાનેન્દ્ર દેવ ત્રિપાઠીએ આ દુર્ઘટના અંગે માહિતી આપી હતી. માહિતી મળતા જ વરિષ્ઠ જિલ્લા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતનો ભોગ બનેલી બોટ સ્વદેશી બનાવટની મિકેનિકલ બોટ છે. SDRF, NDRF અને પોલીસ કર્મચારીઓની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

छवि

મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના ગુરુવારે સવારે ધુબરી જિલ્લાના ભાસાની નગર સ્થિત બ્રહ્મપુત્રા નદીમાં થઈ હતી. ધુબરીના મહેસૂલ અધિકારી સંજુ દાસ સહિત 20થી વધુ લોકો બોટમાં સવાર હતા. બોટ પલટી જવાની માહિતી મળતા જ વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બોટમાં સવારે લગભગ 20 લોકોમાંથી 10 લોકો બહાર નીકળવામાં સફળ રહ્યા, પરંતુ રેવન્યુ ઓફિસર સંજુ દાસ સહિત 10 લોકો લાપતા છે. સર્ચ ઓપરેશન ચાલુ છે પરંતુ હજુ સુધી કોઈનો પત્તો લાગ્યો નથી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે