Bengaluruના આ Cafeમાં થયો Blast, ઉઠ્યો ધૂમાડો ભાગ્યા લોકો, બ્લાસ્ટ પાછળનું કારણ અકબંધ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-03-01 16:19:46

બેંગલુરૂમાં સ્થિત એક રેસ્ટોરન્ટમાં ધમાકો થયો છે. એક નહીં પરંતુ ચાર ધમાકા થયા છે અને આ ધમાકામાં અનેક લોકો ઘાયલ થયા છે તેવા સમાચાર સામે આવ્યા છે. આ ધમાકા થવા પાછળનું કારણ અકબંધ છે. મળતી માહિતી અનુસાર આ ધમાકો વ્હાઈટ ફીલ્ડ વિસ્તારમાં આઈટીપીએલ રોડ પર સ્થિત રામેશ્વરમ કૈફેમાં થયો છે. ચાર લોકો ઘાયલ થયા હોવાનું અનુમાન છે. આ ધમાકાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ત્યાં આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. ઘાયલોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

 


ધમાકામાં ચાર લોકો થયા ઘાયલ!

રામેશ્વરમ કૈફેમાં આજે એટલે કે પહેલી માર્ચે ધડાકો થયો છે. અને આ ધડાકામાં ચાર લોકો ઘાયલ થયા છે. જે ધમાકો થયો છે તે વ્હાઇટ ફિલ્ડ વિસ્તારમાં આઇટીપીએલ રોડ પર સ્થિત રામેશ્વરમ કેફેમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 4 લોકો ઘાયલ થયા છે. તમને જણાવી દઈએ કે બ્લાસ્ટ થવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટના પછીનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કાફેની બહાર લોકોની ભીડ જોવા મળી રહી છે અને પોલીસ પણ ઘટનાસ્થળે જોવા મળી રહી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે