સુરેન્દ્રનગરઃ- ભાજપના જીજ્ઞા પંડ્યાએ વઢવાણથી ઉમેદવારી પરત ખેંચી


  • Published By :
  • Published Date : 2022-11-13 17:56:45

ભારતીય જનતા પાર્ટીના વઢવાણના ઉમેદવાર જીજ્ઞા પંડ્યાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તમામ લોકોનો આભાર વ્યક્ત કરતા તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી છે. 


મારા સિવાય અન્ય વ્યક્તિને ટિકિટ આપોઃ જીજ્ઞા પંડ્યા

તેમણે જણાવ્યું હતું કે મને મોકો આપવામાં આવ્યો તે બદલ ભાજપનો ખૂબ આભાર. જીજ્ઞા પંડ્યાએ જણાવ્યું હતું કે હું આગળ પણ ભાજપનું કામ કરતી રહીશ. તેમણે જેપી નડ્ડાને વિનંતી કરી છે કે વઢવાણ પર તેમના સિવાય અન્ય કોઈ વ્યક્તિને ટિકિટ આપે. જીજ્ઞા પંડ્યાએ કમલમ જઈને પ્રધાનમંત્રીના નામ પર પત્ર લખ્યો હતો. 


આ તો થઈ પડદાની આગળની વાતો, પરદા પાછળની વાર્તા કંઈક એમ છે કે ભાજપે સત્વારા સમાજના વ્યક્તિને આ વખતે ટિકિટ નહોતી આપી. આથી સત્વારા સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. આથી ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા માટે ભાજપે સત્વારા સમાજના જગદીશ મકવાણાના નામની જાહેરાત કરી છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.