લ્યો બોલો! આ ભાજપના કાર્યકર્તાઓ તો એમના નેતાને જ નથી ઓળખતા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 15:27:47

જમાવટ દર્પણ નામનું સેગમેન્ટ ચલાવે છે જેમાં તે સમાજ અને સરકારને અરીસો બતાવવાનું કામ કરે છે. જમાવટ કોઈને જજ કર્યા વગર દર્પણ તમારી સામે રાખી દે છે. બાકી સમાજને જોવાનું રહે છે કે તેમને કેટલી બદલાવાની જરૂર છે. ત્યારે અમે ભાજપની રેલીમાં ભાજપના પીઢ નેતાઓના ફોટો લઈને પહોંચ્યા હતા જ્યાં ભાજપના કાર્યકર્તાઓ તેમના નેતાઓને જ નહોતા ઓળખી શક્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અસારવા ખાતે વિકાસકાર્યોના લોકાર્પણ માટે આવેલા હતા ત્યારે અમે ત્યાં પહોંચેલા કાર્યકર્તાઓને ભાજપના નેતાઓના ફોટો દેખાડ્યા હતા અને તેઓ કોણ છે તેવું પૂછ્યું હતું જેના કંઈક આવા જવાબ મળ્યા હતા. અમેં એક ભાજપના યુવા કાર્યકર્તા અમિત શાહનો ફોટો દેખાડીને પૂછ્યું હતું કે આ કોણ છે ત્યારે ભાજપના યુવા કાર્યકર્તાએ જવાબ આપ્યો હતો કે હું આમને નથી ઓળખતો.   


જમાવટના પત્રકાર પાયલ રાઠોડ આ ફોટોની અંદર ભાજપના કાર્યકર્તાને ફોટો દેખાડીને તેમના નેતાઓ વિશે પૂછી રહ્યા છે કે તેઓ પોતોના નેતાઓને ઓળખે છે કે નહીં. જમાવટ ભાજપના વરિષ્ઠ અને પીઢ નેતાઓના ફોટો લઈને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે પહોંચ્યા હતા. 

જમાવટ ભાજપના નેતાઓ મુરલી મનોહર જોશી, વિજ્યારાજે સિંધિયા, પંડિત દિનદયાળ ઉપાધ્યાય, લાલ કૃષ્ણ અડવાણી, અટલ બિહારી બાજપેયી, શ્યામા પ્રસાદ મુખર્જી અને અમિત શાહના ફોટો લઈને કાર્યકર્તાઓ વચ્ચે પહોંચ્યું હતું. 





આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.