વડોદરામાં AAPનો રોડ શો નહીં કરવા દેવાની BJP કાર્યકરોની ચીમકી, કેજરીવાલના પોસ્ટર ફાડ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 18:56:26

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે તંગદીલી વધતી જોવા મળી રહી છે. AAPના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના પ્રવાસે છે. રાજ્યમાં  કેજરીવાલના આગમનનો જોરશોરથી વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. આજે  વડોદરામાં અરવિંદ કેજરીવાલે રેલી યોજી હતી. જો કે  AAPને ભાજપ સમર્થકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો છે. બીજેપી કાર્યકરોએ વડોદરામાં યોજાનારી અરવિંદ કેજરીવાલની રેલી પહેલા રેલી સ્થળની બહાર લાગેલા હોર્ડિંગ્સ અને પોસ્ટરો ફાડી નાખ્યા છે. અરવિંદ કેજરીવાલના પોસ્ટરની સાથે બીજેપી સમર્થકોએ પંજાબના સીએમ ભગવંત માનના પોસ્ટરને પણ નિશાન બનાવ્યું છે. આ ઘટના પર આમ આદમી પાર્ટીએ આકરી પ્રતિક્રિયા આપી છે.


કેજરીવાલના રોડ શો પહેલા ભાજપ કાર્યકરોએ કરી તોડફોડ


વડોદરામાં કેજરીવાલના રોડ શો અગાઉ બબાલ થઈ હતી. વડોદરામાં ભાજપના પૂર્વ નગરસેવક નીતિન પટેલ અને ભાજપ કાર્યકરોએ રોડ શોને લઈ ચિમકી આપી હતી. વડોદરાના રાજમહેલ રોડ ખાતે ભાજપ અને આપના કાર્યકરો આમને સામને આવી ગયા હતા. આપના બેનર લગાવવાનો વિરોધ કરાયો હતો. હિંદુ દેવી દેવતાઓના અપમાન કરનારને રોડ શો નહીં કરવા દેવાય તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. વડોદરામાં કેજરીવાલના રોડ શોના રુટ પર તોડફોડ કરવામાં આવી છે. આ ઉપરાંત મોદી મોદીના નારા લાગ્યા હતા. જો કે પરિસ્થિતિ વધુ વણશે તે પહેલા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. કેજરીવાલની રેલી દરમિયાન વડોદરાના રાજમહેલ રોડ પર વાતાવરણ તંગ બની ગયું હતું.



એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.