ગૌરવ યાત્રા કરી ભાજપ કરશે ચૂંટણી પ્રચાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 11:30:51

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ મતદારોને આકર્ષવા રાજકીય પાર્ટીઓ પ્રચાર કરી રહી છે. વિવિધ રીતે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવા રેલીઓ, સભાઓ કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી બાદ ભાજપ પણ ચૂંટણી પ્રચારમાં ઉતરી છે. વિવિધ રણનીતિ ઘડી મતદારોને પ્રભાવિત કરવા ભાજપે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે.  5 ઝોનમાં યાત્રા કરી ચૂંટણી પ્રચાર કરવાનો પ્લાન ભાજપ કરી રહ્યું છે. 7 ઓક્ટોબરથી આ યાત્રાનો પ્રારંભ થવાનો છે. જેમાં કેન્દ્રીય નેતાઓ હાજરી આપશે. 

ભાજપ કરશે ગૌરવ યાત્રા 

પોતાની પાર્ટીનો પ્રચાર કરવા પાછળ ભાજપ લાખો રૂપિયા ખર્ચી નાખે છે. પ્રચાર કરવાનો એક પણ મોકો ભાજપ છોડતું નથી. ચૂંટણી પ્રચારના ભાગરૂપે રાજ્યના 5 ઝોનમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવશે. ગૌરવ યાત્રા ઝોન વાઈઝ 10 દિવસ સુધી આ યાત્રા ચાલશે. જેમાં ભૂપેન્દ્ર પટેલ તેમજ અનેક દિગ્ગજ નેતાઓ હાજરી આપી ભાજપનો પ્રચાર કરવાના છે. 

Bharatiya Janata Party | History, Ideology, & Beliefs | Britannica


ચૂંટણી પહેલા અનેક વખત કર્યું છે યાત્રાનું આયોજન

2017માં વિધાનસભા ચૂંટણી સમયે ભાજપ દ્વારા વનવાસી બંધુ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રચાર કરી ભાજપ પોતાના કામ બતાવી લોકોને પોતાની પાર્ટી તરફ આકર્ષવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. થોડા સમય પહેલા ભાજપ દ્વારા બંધારણ ગૌરવ યાત્રા યોજવામાં આવી હતી. 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી બંધારણ ગૌરવ યાત્રા યોજાઈ હતી. લોકસંપર્ક કરી ભાજપે ગુજરાતમાં કરેલા કામ તેમજ કેન્દ્રમાં રહી સરકારે કરેલા કામો લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. 7 ઓક્ટોબરથી ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવશે. 



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.