ભાજપે 12 કેન્દ્રિય મંત્રીઓને ઉતાર્યા પ્રચાર મેદાનમાં, કેજરીવાલે સાધ્યું નિશાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 13:40:35

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે દરેક રાજકીય પક્ષના નેતાઓ રાજ્યનો પ્રવાસ કરી પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. આ વખતે ત્રિપાંખિયો જંગ છે એટલે રાજનેતા વધુ સતર્ક બન્યા છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણી મેદાનમાં ઝંપવાવ્યું હોવાથી ચૂંટણી રસપ્રદ બની છે. રાજ્યની જનતાની નાડ પારખી ગયેલી ભાજપે તો પ્રચાર અભિયાન માટે કેન્દ્રિય મંત્રીઓની મોટી ફોજ ઉતારી છે. જો કે રાજ્યમાં જે પ્રકારે ભાજપ વિરોધી જનાક્રોસ જોવા મળી રહ્યો છે તે જોતા લોકો આ કેન્દ્રિય મંત્રીઓને કઈ રીતે આવકારે છે તે જોવાનું છે. 


ગુજરાતમાં આમ આદમી પાર્ટી તરફથી મળી રહેલા પડકારનો સામનો કરવા ભાજપે 12 કેન્દ્રિય મંત્રીઓને પ્રચાર અભિયાનમાં ઉતાર્યા છે. આ મંત્રીઓ 10 ઓક્ટોબર સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભાજપ માટે પ્રચાર કરશે. આ મંત્રીઓમાં મીનાક્ષી લેખી,,બી.એલ વર્મા, વિરેન્દ્ર કુમાર,સ્મૃતિ ઈરાની, સાધ્વી નિરંજન જ્યોતિ,અજય ભટ્ટ,ભુપેન્દ્ર યાદવ,કિરણ રિજીજુ, પ્રતિમા ભૌમિકભાનુ ,પ્રતાપ સિંહ વર્મા,અર્જુન મુંડા,ગિરીરાજ સિંહનો સમાવેશ થાય છે.


કેજરીવાલે ટ્વીટ દ્વારા ભાજપ પર કર્યો કટાક્ષ


ભાજપે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે એક સાથે 12 કેન્દ્રીય મંત્રીઓ કામે લગાડ્યા છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, ખબર છે કે ગુજરાતના દરેક જિલ્લામાં ભાજપ એક-એક કેન્દ્રિય મંત્રી અથવા કોઈ મુખ્યમંત્રીને ડ્યૂટી લગાવી રહી છે. ભાજપને આટલો બધો ડર શા માટે? આ ડર આમ આદમી પાર્ટીનો નથી. આ ડર ગુજરાતના લોકોનો છે જે ભાજપથી નારાજ છે અને એટલે જ હવે ઝડપથી ‘AAP’માં જોડાઈ રહ્યા છે.



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.