ભાજપે આમ આદમી પાર્ટીને ગણાવી રાષ્ટ્રવિરોધી પાર્ટી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 17:16:48

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નવા નવા વિવાદ બહાર આવી રહ્યા છે. ગોપાલ ઈટાલીયાનો વિડીયો વાયરલ થયા બાદ મામલો ગરમાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અપશબ્દ વાપરતા બીજેપીએ તેનો વિરોધ નોંધાવ્યો હતો. પત્રકાર પરિષદ કરી ભાજપે વડાપ્રધાન વિરૂદ્ધ બોલવામાં આવેલા અપશબ્દનો ચલાવી નહીં લેવામાં આવે. ગોરધન ઝડફિયાએ આપની આ પ્રકારની માનસિકતાને દેશવિરોધી ગણાવી છે. 


આપના નેતાઓને આપી ચેતવણી

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો થવાનો છે. ચૂંટણી નજીક આવતા આપ અને ભાજપ વચ્ચે આરોપ-પ્રતિઆરોપની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. આપનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ અનેક ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ બધા વચ્ચે ગોપાલ ઈટાલીયાનો વિડીયો વાયરલ થયો હતો જેમાં તેમણે દેશના વડાપ્રધાન મોદી વિરૂદ્ધ અપશબ્દનો ઉપયોગ કર્યો હતો. ગોપાલ ઈટાલીયાએ PM પદની ગરિમાને લાંછન લગાવતા શબ્દો વાપર્યા છે.

પ્રધાનમંત્રી કોઈ એક પક્ષના નહીં પરંતુ આખા દેશના હોય છે. તેમના આ શબ્દોથી AAPની માનસિકતા છતી થઈ છે. જે બાદ ભાજપે પત્રકાર પરિષદ કરી આપના નેતાને ચેતવણી આપી હતી. ભાજપે પત્રકાર પરિષદમાં ગુજરાતના સહપ્રભારી રાઘવ ચઢ્ઢાએ પૂછેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. વધુમાં ઝડફિયાએ કહ્યું કે બે દિવસ અગાઉ દિલ્હીના મંત્રીનો વિડીયો વાઈરલ થયો ત્યારે કોઈ પ્રતિક્રિયા ન આપી. જ્યારે હવે ઈટાલિયાનો વિડીયો વાયરલ થયો તો રાઘવ ચઢ્ઢઆએ પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યા અને ગોપાલભાઈનો બચાવ કર્યો છે, જે યોગ્ય નથી. 



ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે સાથે જ તેમણે ટેરિફને લઇને ભારતને આડેહાથ લીધું છે . તો આ બાજુ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે હવે કોઈ પણ ફળશ્રુતી વગર પાછું જઈ ચૂક્યું છે. તો હવે જોઈએ ૨જી એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદે છે કે કેમ.

પીએમ મોદી આખરે ૧૨ વર્ષના અંતે RSSના મુખ્યાલય કેશવ કુંજ ખાતે નાગપુર પહોંચ્યા છે. છેલ્લે , જુલાઈ ૨૦૧૩માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગપુર પહોંચ્યા હતા. ખુબ લાંબા સમયથી નવા બીજેપી અધ્યક્ષની નિમણુંક બાકી છે . તેને લઈને ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ઘણા મહત્વના રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણુંક પણ બાકી છે તેને લઇને પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે .

સામાન્ય રીતે વિકસિત અથવા અવિકસિત દેશોના લોકો મેડિકલ ખર્ચના પરિબળને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ માટે ભારતને પસંદ કરે છે. જો કે આ અમદાવાદમાં થયેલા મેડિકલ ટુરિઝમના તાજેતરના ઉદાહરણથી તદ્દન વિપરીત છે. ડૉ. પૉલ જેસન ગ્રેનેટ, પેન્સિલવેનિયાના જાણીતા ટ્રોમા સર્જનને હાર્ટની તકલીફ હતી, જેમાં સર્જરીની જરૂર હતી. વધુ આરામદાયક જીવનશૈલી સાથે પ્રખ્યાત સર્જન હોવાને કારણે, અમેરિકન સર્જન અમેરિકામાં ગમે ત્યાંની કોઈપણ હોસ્પિટલ પસંદ કરી શકે છે, ત્યાં તેમની સારવાર પણ મફત થઈ હોત, તેમ છતાં તેમણે અમદાવાદની પસંદગી કરી.

દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે