સ્નેહમિલન કાર્યક્રમમાં BJP પ્રદેશ અધ્યક્ષ CR Patilએ જાહેરમાં ધારાસભ્યોને સંભળાવી દીધી! PM Modiને લઈ કહી આ વાત, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-11-29 15:32:02

આવનાર વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક રાજકીય પાર્ટી દ્વારા આને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકસભાને જીતવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવશે. ત્યારે ભાજપના અગ્રણી નેતાઓ એક્ટિવ મોડમાં આવી ગયા છે. સી.આર.પાટીલ છેલ્લા ઘણા સમયથી ધારાસભ્યો તેમજ કાર્યકર્તાઓને ટકોર કરી રહ્યા છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા મંગળવારે સુરેન્દ્રનગરમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ફરી એક વખત આક્રામક અંદાજમાં સી.આર.પાટીલ દેખાયા હતા. સ્ટેજ પરથી ધારાસભ્યોને તેમણે ટકોર કરી હતી.

સી.આર.પાટીલે ધારાસભ્યોને કરી ટકોર! 

અનેક કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો આક્રામક અંદાજ દેખાય છે. અનેક વખત ધારાસભ્યોને ટકોર સી.આર.પાટીલ કરે છે. ત્યારે સુરેન્દ્રનગરમાં સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ટેજ પરથી તેમણે ભાજપના ધારાસભ્ય જગદીશ મકવાણા, પ્રકાશ વરમોરા અને પી.કે પરમારને ટકોર કરી હતી. સી.આર પાટીલે કહ્યું કે, તમે ભલે 65 હજાર મતે જીત્યા પણ એ તમારી નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાકાતથી જીત્યા છો. જો તમને તમારી જીત પર ઘમંડ આવશે તો તમારા પગલાં પણ પાછા આવશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.