ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે 4 જિલ્લા પ્રમુખોની કરી હકાલપટ્ટી, બે સંગઠનો વિખેર્યા


  • Published By :
  • Published Date : 2023-02-13 17:50:28

ગુજરાત વિધાનસભામાં ભાજપે 156 સીટો જીતીને વિરોધ પક્ષો સહિત સામાન્ય માણસને પણ ચોંકાવી દીધો છે. જો કે તેમ છતાં પણ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પાર્ટીના પ્રદર્શનથી સંતુષ્ટ નથી. સી આર પાટીલ આગામી લોકસભાની ચૂંટણીને લઈ આગોતરી તૈયારીમાં લાગ્યા છે. પાટીલે કેટલાક જિલ્લામાં નબળું પ્રદર્શન કરતા સંગઠનને વિખેરી નાખવાની આકરી કાર્યવાહી કરી છે. ભાજપ પ્રદેશ પ્રમુખે શિસ્ત ભંગના પગલા ભરતા આજે બે જિલ્લાના સંગઠનને વિખેરી નાખ્યા છે. 


બે જિલ્લા પ્રમુખની હકાલપટ્ટી


સી આર પાટીલે વિધાનસભાની ચૂંટણીમાં નબળી કામગીરી કરનારા બે જિલ્લા સંગઠનને વિખેરી નાખ્યું છે. શિસ્તભંગની આકરી કાર્યવાહી કરતા ભાજપે બનાસકાંઠા અને દ્વારકાનું સંગઠન વિખેરી નાખ્યું છે. તે ઉપરાંત  4 જિલ્લા પ્રમુખની પણ હકાલપટ્ટી કરી છે.  


શા માટે કાર્યવાહી?


બનાસકાંઠા અને દ્વારકા જિલ્લાની મુખ્ય સમિતી વિખેરી નાખવામાં આવી તેનું મુખ્ય કારણ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની નિષ્ફળતા છે. વિધાનસભા ચૂંટણીમાં વિપરીત પરિણામો પણ મોટું કારણ માનવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાની 9 માંથી ફક્ત 4 બેઠકો ભાજપ જીત્યું હતું. બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ સામે જિલ્લામાં અનેક પડકારો હતા. દેવભુમિ દ્વારકા જિલ્લાના પ્રમુખ ખીમાભાઇ જોગલની તબિયત છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત હોવાથી તેમની સામે સમગ્ર સંગઠનને વિખેરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય ગાંડાભાઇ કચરાભાઇ પ્રજાપતિને અયોગ્ય કામગીરીના લીધે ભાજપ દ્વારા સસ્પેન્ડ કરી દેવાયા હતા.


સંગઠનમાં નવી નિમણૂક કરાઈ


ભાજપ દ્વારા બનાસકાંઠાના નવા જીલ્લા પ્રમુખ તરીકે કિર્તીસિંહ વાઘેલાની નિમણુંક કરવામાં આવી હતી. દેવભુમિ દ્વારકા મયુરભાઇ ગઢવી, અમરેલી રાજેશ કાબરીયા,સુરેન્દ્રનગરમાં હિતેન્દ્ર ચૌહાણની નિમણુંક કરવામાં આવી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.