ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે 4 જિલ્લા પ્રમુખોની કરી હકાલપટ્ટી, બે સંગઠનો વિખેર્યા


  • Published By :
  • Published Date : 2023-02-13 17:50:28

ગુજરાત વિધાનસભામાં ભાજપે 156 સીટો જીતીને વિરોધ પક્ષો સહિત સામાન્ય માણસને પણ ચોંકાવી દીધો છે. જો કે તેમ છતાં પણ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પાર્ટીના પ્રદર્શનથી સંતુષ્ટ નથી. સી આર પાટીલ આગામી લોકસભાની ચૂંટણીને લઈ આગોતરી તૈયારીમાં લાગ્યા છે. પાટીલે કેટલાક જિલ્લામાં નબળું પ્રદર્શન કરતા સંગઠનને વિખેરી નાખવાની આકરી કાર્યવાહી કરી છે. ભાજપ પ્રદેશ પ્રમુખે શિસ્ત ભંગના પગલા ભરતા આજે બે જિલ્લાના સંગઠનને વિખેરી નાખ્યા છે. 


બે જિલ્લા પ્રમુખની હકાલપટ્ટી


સી આર પાટીલે વિધાનસભાની ચૂંટણીમાં નબળી કામગીરી કરનારા બે જિલ્લા સંગઠનને વિખેરી નાખ્યું છે. શિસ્તભંગની આકરી કાર્યવાહી કરતા ભાજપે બનાસકાંઠા અને દ્વારકાનું સંગઠન વિખેરી નાખ્યું છે. તે ઉપરાંત  4 જિલ્લા પ્રમુખની પણ હકાલપટ્ટી કરી છે.  


શા માટે કાર્યવાહી?


બનાસકાંઠા અને દ્વારકા જિલ્લાની મુખ્ય સમિતી વિખેરી નાખવામાં આવી તેનું મુખ્ય કારણ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની નિષ્ફળતા છે. વિધાનસભા ચૂંટણીમાં વિપરીત પરિણામો પણ મોટું કારણ માનવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાની 9 માંથી ફક્ત 4 બેઠકો ભાજપ જીત્યું હતું. બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ સામે જિલ્લામાં અનેક પડકારો હતા. દેવભુમિ દ્વારકા જિલ્લાના પ્રમુખ ખીમાભાઇ જોગલની તબિયત છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત હોવાથી તેમની સામે સમગ્ર સંગઠનને વિખેરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય ગાંડાભાઇ કચરાભાઇ પ્રજાપતિને અયોગ્ય કામગીરીના લીધે ભાજપ દ્વારા સસ્પેન્ડ કરી દેવાયા હતા.


સંગઠનમાં નવી નિમણૂક કરાઈ


ભાજપ દ્વારા બનાસકાંઠાના નવા જીલ્લા પ્રમુખ તરીકે કિર્તીસિંહ વાઘેલાની નિમણુંક કરવામાં આવી હતી. દેવભુમિ દ્વારકા મયુરભાઇ ગઢવી, અમરેલી રાજેશ કાબરીયા,સુરેન્દ્રનગરમાં હિતેન્દ્ર ચૌહાણની નિમણુંક કરવામાં આવી છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!