દીવા તળે અંધારું! રાજકોટમાં પોલીસ સ્ટેશન નજીક ભાજપના યુવા મંત્રીએ કર્યું હવામાં ફાયરિંગ! જાણો કઈ વાત પર ઉશ્કેરાઈ ગયા મંત્રી?


  • Published By :
  • Published Date : 2023-06-08 12:00:50

રાજ્યમાં અનેક વખત ફાયરિંગ થયા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે રાજકોટમાં ગઈકાલે બે રાઉન્ડ ફાયરિંગ થયું હોય તેવા સમાચાર સામે આવ્યા છે. આ ફાયરિંગ શહેર યુવા ભાજપ મંત્રી દ્વારા કરવામાં આવ્યું છે. ભક્તિનગર પાસે યુવા નેતાએ ફાયરિંગ કર્યું હતું અને મહત્વની વાત એ છે કે થોડા દૂર જ પોલીસ સ્ટેશન આવેલું છે. જે યુવા નેતાએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું તેમનું નામ કરણ સોરઠિયા હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ પોલીસ પણ દોડતી થઈ હતી.


ઉશ્કેરાઈને નજીવી વાતને ધ્યાનમાં રાખી કર્યું ફાયરિંગ!   

જાહેરમાં ફાયરિંગ થવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. લોકોમાં જાણે પોલીસનો ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજકોટથી બે રાઉન્ડ ફાયરિંગ થયા હોવાની ઘટના સામે આવી છે. રાજકોટમાં ભાજપના એક યુવા મંત્રીએ નજીવી વાતને લઈ મંગળવાર રાત્રે બે રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. ભક્તિનગર પોલીસ સ્ટેશન નજીક કરણ સોરઠીયાએ ફાયરિંગ કર્યું હતું. મળતી માહિતી અનુસાર જાહેર શૌચાલયના કર્મચારી સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે દરમિયાન બોલાચાલી થઈ તે દરમિયાન શૌચાલચને કર્મચારી બંધ કરતા હતા. આસપાસના લોકોએ મામલાને શાંત પાડવાની કોશિશ પણ કરી પરંતુ મામલો શાંત ન થયો. પરંતુ ઉશ્કેરાયેલા કરણ સોરઠિયાએ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરી દીધું.       

કારમાં રાજકોટ શહેર યુવા ભાજપ મંત્રીની પ્લેટ.

પોલીસ સ્ટેશન નજીક હોવા છતાં ભાજપના મંત્રીએ કર્યું ફાયરિંગ! 

આ મામલે ચોંકાવનારી વાત એ છે કે થોડા અંતરે જ પોલીસ સ્ટેશન આવેલું છે. આ ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી. મળતી માહિતી અનુસાર ભક્તિનગર પોલીસે કરણ સોરઠિયાની અટકાયત પણ કરી લીધી છે. પોલીસે જે ગાડી કબજે કરી છે તે કારમાં 'મંત્રી' રાજકોટ શહેર યુવા ભાજપ લખેલું છે. નશાની હાલતમાં કરણ સોરઠિયાએ ફાયરિંગ કર્યું હોય તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે અને આ મામલે શું અપડેટ આવે છે તે જોવું રહ્યું.


ફાયરિંગ નશાની હાલતમાં કર્યું!  

એક તરફ દારૂબંધીની વાત કરવામાં આવે છે તો બીજી બાજુ એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં નશાની હાલતમાં લોકો ગુન્હો કરી લેતા હોય છે. આ ઘટનામાં પણ નશાની હાલતમાં કરણ સોરઠિયાએ ફાયરિંગ કર્યું હોય તો તે ગંભીર વાત છે. કારણ કે નશાની હાલતમાં રહેલા વ્યક્તિને ખબર નથી હોતી કે તે શું કરી રહ્યો છે. કરણ સોરઠિયાનો બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યો છે. નશાની હાલતમાં આ ફાયરિંગ કર્યું હોય તેવું અનુમાન પોલીસ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટના બાદ જ્યારે ભાજપના કોર્પોરેટર ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે તેમણે કહ્યું કે માત્ર એક સામાન્ય બાબત પર ફાયરિંગ થઈ છે. સ્વરક્ષણ માટે આ ફાયરિંગ કરવામાં આવ્યું છે તેવી વાત જાણે કોર્પોરેટર કરતા હોય તેવું લાગી રહ્યું છે. 


પોલીસ આ મામલે લેશે કડક પગલાં?

અહિંયા પ્રશ્ન એ થાય કે જો સ્વરક્ષણ માટે ફાયરિંગ કરી દેવાનું? સ્વરક્ષણ માટે ફાયરિંગ કરવું કેટલું યોગ્ય? ત્યારે રાજ્યમાં વધતી ફાયરિંગની ઘટના સહિતના સવાલોના જવાબ પોલીસ અને તંત્ર આપે તો સારું બાકી હમેશાની જેમ હાથ ઊંચા કરી દેશેતો ફરીથી આવી ઘટનાઓ પુનરાવર્તિત થતી રહેશે તેવું લાગે છે.     




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!