જ્ઞાન સહાયક મુદ્દે ભાજપની જ વિદ્યાર્થી પાંખે સરકાર સામે બાંયો ચડાવી !


  • Published By :
  • Published Date : 2023-10-07 15:38:55

TET-TAT પાસ ઉમેદવારોના સમર્થનમાં હવે ભાજપની જ વિદ્યાર્થી પાંખ ABVPએ સરકાર સામે બાંયો ચડાવી છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી જ્ઞાન સહાયકોની 11 મહિનાની કરાર આધારિત ભરતીનો TET-TAT પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે, ત્યારે હવે આ વિરોધમાં ABVP પણ જોડાઈ છે. આજે ABVP એ મહેસાણા કલેકટર કચેરી સામે વિરોધ પ્રદર્શન કર્યુ અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ


ગુજરાત સરકાર TET અને TATના વિદ્યાર્થીઓની કરાર આધારિત શિક્ષકોની ભરતી કરે છે અને તેમાં ભારત નું ભાવિ એવા યુવાનોનું શોષણ થતું હોવાનો સુર ઉઠવા પામેલો છે..આ બાબત ને ધ્યાનમાં રાખી મહેસાણા ABVPએ આજે ન્યાય હુંકાર રેલી યોજી વિરોધ નોંધાવ્યો છે મહેસાણા ABVPએ છાત્ર શક્તિના ભવિષ્યને વાચા આપવા ગુજરાત સરકારની શિક્ષક ભરતી માટેની જ્ઞાન સહાયક યોજના રદ્દ કરવાની માંગણી પણ કરી છે.ભારત ના ભવિષ્ય અને વિદ્યાર્થીઓના ન્યાય માટે કરાર આધારિત શિક્ષકોની ભરતી બંધ કરવા અને જ્ઞાન સહાયક યોજના રદ્દ કરવાની માંગ સાથે આજે મહેસાણા ABVPએ મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો છે



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.