ચૂંટણી જીતવા ભાજપની તૈયારી, હાઈ કમાન્ડ આવ્યું એક્શન મોડમાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 11:14:42

ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાવાની છે. ત્યારે ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશ વિધાનસભા માટે ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે પરંતુ ગુજરાત માટે હજી સુધી તારીખ જાહેર કરવામાં નથી આવી. જેને કારણે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરે તે પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, કે કૈલાસનાથ, રત્નાકરને દિલ્હી બોલાવી લેવામાં આવ્યા હતા. 

5 કલાક સુધી ચાલી બેઠક

ગુજરાતમાં ભલે ચૂંટણી યોજાવાની છે પરંતુ રાજકારણ દિલ્હીનું ગરમાયું છે. ગુજરાતના રાજનીતિની ચર્ચા દિલ્હીમાં થઈ રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, કે કૈલાસનાથ, રત્નાકરને  અચાનક દિલ્હી બોલાવામાં આવતા અનેક સંભાવનાઓ દેખાઈ રહી છે. ગુજરાત ચૂંટણીને લઈ આ નેતાઓની સાથે અંદાજીત 5 કલાક સુધી બેઠક કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જે.પી.નડ્ડા હાજર રહ્યા હતા. 

pm narendra modi questions gujarat bjp president c r patil why there are  less followers | આ ફૉલોઅર્સ કેમ આટલા ઓછા?

પ્રચાર કરવાની સ્ટાઈલમાં ભાજપ લાવી શકે છે ચેન્જ 

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા મુખ્ય મુદ્દાઓ ભૂલાઈ રહ્યા છે. જાતિવાદ તેમજ ધર્મનો સહારો લઈ તમામ રાજકીય પાર્ટી રાજનીતિ કરી રહી છે. ત્યારે ચૂંટણી લક્ષી મુદ્દાઓ પર રાજનીતિ થાય તે માટે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હોઈ શકે છે. ઉપરાંત કયા ઉમેદવારોને ટિકિટ આપવી, ભાજપમાં ચાલતા આંતરિક જૂથવાદ પર પણ ધ્યાન આપવામાં આવ્યું હોઈ શકે છે. બેઠક બાદ ભાજપ પોતાના પ્રચાર કરવાની સ્ટાઈલમાં પરિવર્તન પણ લાવી શકે છે. 

With blessings from Delhi

ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વયં આવી રહ્યા છે. પોતાના ભાષણ દરમિયાન પીએમ વિકાસના કામોને ગણાવતા હોય છે. ત્યારે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમની મુલાકાત પહેલા જ ભાજપ પોતાની રણનીતિ બદલી શકે છે તેવું લાગી રહ્યું છે. ભાજપ જે રણનીતિથી આગળ વધી રહી છે તેનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે દિલ્હીમાં થયેલી બેઠક બાદ પ્રચારમાં પણ ફેરફાર આવી શકે છે. 

દિલ્હીથી મળેલા આદેશોનું થશે અમલીકરણ

દિલ્હીના પ્રવાસે ગયેલા મુખ્યમંત્રી, સી.આર.પાટીલ, રત્નાકર અને કેકે મોડી રાત્રે ગુજરાત આવ્યા હતા. ત્યારે મંગળવારે કેબિનેટ બેઠક મળવાની છે. ત્યારે દિલ્હીમાં મળેલી સૂચનાનું અમલીકરણ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. આદેશોની સીધી અસર હવે ગુજરાતના પ્રચારમાં દેખાઈ શકે છે.      




ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે સાથે જ તેમણે ટેરિફને લઇને ભારતને આડેહાથ લીધું છે . તો આ બાજુ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે હવે કોઈ પણ ફળશ્રુતી વગર પાછું જઈ ચૂક્યું છે. તો હવે જોઈએ ૨જી એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદે છે કે કેમ.

પીએમ મોદી આખરે ૧૨ વર્ષના અંતે RSSના મુખ્યાલય કેશવ કુંજ ખાતે નાગપુર પહોંચ્યા છે. છેલ્લે , જુલાઈ ૨૦૧૩માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગપુર પહોંચ્યા હતા. ખુબ લાંબા સમયથી નવા બીજેપી અધ્યક્ષની નિમણુંક બાકી છે . તેને લઈને ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ઘણા મહત્વના રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણુંક પણ બાકી છે તેને લઇને પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે .

સામાન્ય રીતે વિકસિત અથવા અવિકસિત દેશોના લોકો મેડિકલ ખર્ચના પરિબળને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ માટે ભારતને પસંદ કરે છે. જો કે આ અમદાવાદમાં થયેલા મેડિકલ ટુરિઝમના તાજેતરના ઉદાહરણથી તદ્દન વિપરીત છે. ડૉ. પૉલ જેસન ગ્રેનેટ, પેન્સિલવેનિયાના જાણીતા ટ્રોમા સર્જનને હાર્ટની તકલીફ હતી, જેમાં સર્જરીની જરૂર હતી. વધુ આરામદાયક જીવનશૈલી સાથે પ્રખ્યાત સર્જન હોવાને કારણે, અમેરિકન સર્જન અમેરિકામાં ગમે ત્યાંની કોઈપણ હોસ્પિટલ પસંદ કરી શકે છે, ત્યાં તેમની સારવાર પણ મફત થઈ હોત, તેમ છતાં તેમણે અમદાવાદની પસંદગી કરી.

દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે