Loksabha 2024 પહેલા BJPની નવી રણનીતિ! નવા ચહેરાઓને મળી શકે છે તક! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-29 16:49:51

લોકસભાની ચુંટણીમાં ભાજપએ bjp ફર્સ્ટ એ મગજમાં રાખીને તૈયારીઓ શરૂ કરી દીધી છે એક તરફ ભરતી મેળો શરૂ કર્યો છે તો બીજી બાજુ ભાજપના ઘણા નેતાઓને ઘરભેગા કરવાનો પ્લાન પણ બનાવી દીધો છે કેમ નેતાઓને કાઢશે કારણ કે તેમની ઉંમર થઈ ગઈ છે! 

નવા ચહેરાને મળી શકે છે આ વખતે તક! 

લોકસભાની ચૂંટણીમાં 400થી વધુ બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે ભાજપ આગળ વધી રહ્યું છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ઇન્ડિયા મહાગઠબંધનમાં ભંગાણ પડી રહ્યું છે. જેને કારણે ભાજપની રાજકીય સ્થિતી વધુ મજબૂત બની છે. જોકે, આ વખતે ગુજરાતમાં 20થી વધુ વર્તમાન સાંસદોના પત્તા કપાશે તેવી માહિતી મળી છે.  ભાજપ નવા ચહેરાઓને ચૂંટણી મેદાને ઉતારે તેવી પુરેપુરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. તેમાં વિવાદાસ્પદ જ નહીં, 65થી વધુ વયના સાંસદોને ઘર ભેગા કરવા હાઇકમાન્ડે મન બનાવી લીધુ છે. એટલે હવે મોટી ઉંમરના સાંસદોને ઘરે આરામ કરવા મોકલી શકે છે.



અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી લડશે ચૂંટણી 

ઘણી બધી વાર પીએમ મોદી અને ભાજપના વરિષ્ઠ નેતાઓ એવો વિચાર મૂકે છે કે નવા લોકોને તક આપવી જોઈએ. વિધાનસભામાં પણ એવું દેખાયું હતું. ત્યારે લોકસભામાં પણ એ ચિત્ર દેખાઈ શકે છે.ગુજરાત ભાજપનો મજબૂત ગઢ છે ત્યારે આ વખતે ગુજરાતમાં 26 પૈકી 26 બેઠકો પાંચ લાખના માર્જીનથી જીતવા લક્ષ્ય રાખવામાં આવ્યો છે.   અમદાવાદમાં ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન બાદ એક માત્ર અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવા સંકેત મળ્યા છે. અન્ય બેઠકો પર કોને ટિકીટ મળશે તે અનુમાન લગાવવું મુશ્કેલ છે 


મોદીના નામ પર લડાશે ચૂંટણી!

આ વખતે પણ ભાજપ હાઇકમાન્ડનો રિપીટ થિયરી અમલમાં મૂકીને વર્તમાન સાંસદોને ઘેરભેગા કરવાનુ મન બનાવ્યુ છે. આ ઉપરાંત આ વખતે તો સિર્ફ મોદી નામ કાફી હે આધારે જ ચૂંટણી લડાશે. આ કારણોસર જ હાઇકમાન્ડ જેને નક્કી કરે તેને વધાવી ભારે લીડ સાથે જીતાડવાનો આદેશ અત્યારથી જ આપી દેવાયો છે. એટલે વર કોઈ પણ હોય કન્યા માત્ર ગોત્ર જોઈને નક્કી કરશે! અત્યારથી ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ગુજરાતમાં દિપસિંહ રાઠોડ, નારણ કાછડિયા, ભરતસિંહ ડાભી,  શારદાબેન પટેલ, મનસુખ વસાવા, પરબત પટેલ, કિરીટ સોલંકી સહિતના સાંસદો 65થી વધુ વયના છે. 


 

કોની કોની કપાઈ શકે છે ટિકીટ?

જેમની ટિકિટ અત્યારે ખતરામાં છે મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ ચૂંટણી સામેથી જ લડવાનો ઇન્કાર કરી ચૂક્યા છે. તેમણે ખુદ એ વાત કહીકે, મારી ઉંમર થઇ. હવે યુવા,નવા ચહેરાને તક મળવી જોઇએ.એટલે આમ બીજા નેતાઓ પણ સામેથિજ ચુંટણી લડવાની ના પડી શકે છે . આ વખતે ભાજપની લોકસભા માટે રણનીતિ કઈક અલગ રહેવાની છે જેમાં આ વખતે ભાજપ હાઇકમાન્ડે રાજયસભા અને લોકસભા સાંસદોને ચૂંટણી મેદાને ઉતારવા નક્કી કર્યુ છે તો હવે લોકસભાના સત્તાના ખેલમાં કયો પક્ષ લોકોની અપેક્ષા પર ખરો ઉતરે છે તે જોવાનું રહ્યું  




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!