ઉત્તર પ્રદેશ નગર નિગમમાં ભાજપનો દબદબો! 17માંથી 17 સીટો પર ખીલ્યું કમળ! સાંભળો જીત બાદ સીએમ યોગી આદિત્યનાથે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-05-13 18:55:55

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. કોંગ્રેસની જીત થઈ છે. બહુમતીથી કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર બનાવી રહી છે. ત્યારે કર્ણાટકની સાથે ઉત્તર પ્રદેશ નગર નિગમની ચૂંટણી માટે પણ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. 17 નગર નિગમ સીટો માટેનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. નગર નિગમની તમામે તમામ 17 સીટો પર કમળ ખીલ્યું છે. મેયર પદ પર ભગવો લહેરાયો છે. ભાજપના ખાતામાં મેરઠ તેમજ અલીગઢ સીટ પણ આવી છે જે પહેલા તેમની પાસે ન હતી.

    

17માંથી 17 સીટો ગઈ ભાજપના ફાળે!

ઉત્તરપ્રદેશમાં નગર નિગમની ચૂંટણીના પરિણામ આજે આવ્યા છે. 17 સીટો માટે મતદાન થયું હતું અને આજે તેની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે 17 સીટો પર ભગવો લહેરાયો છે. લખનઉ, ગોરખપુર, વારાણસી, પ્રયાગરાજ, અયોધ્યા, કાનપુર નગર નિગમ માટે મતદાન થયું હતું. તે સિવાય અલીગઢ, મેરઠ. ઝાંસી, શાહજહાપુર, સહારનપુર, મુરાદાબાદ, મથુરા, ગાજિયાબાદ, બરેલી, ફિરોજાબાદ, આગરા નગર નિગમમાં ભાજપનું કમળ ખીલ્યું છે.       

જીતનો શ્રેય સીએમએ પીએમને આપ્યો!

આ ચૂંટણી માટે ભાજપ દ્વારા ઘણો પ્રચાર કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અનેક રેલીઓ કરી હતી. ત્યારે પાર્ટી દ્વારા તેમજ સીએમ દ્વારા કરવામાં આવેલો પ્રચાર રંગ લાવ્યો છે. પાર્ટીની જીત થયા બાદ યોગી આદિત્યનાથે પ્રતિક્રિયા આપી છે. આ જીતનો શ્રેય સીએમએ વડાપ્રધાન મોદીને આપ્યો છે. પીએમ મોદીના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશ નગર નિગમની ચૂંટણીમાં ભાજપે પોતાની સૌથી મોટી જીત હાંસલ કરી છે.     



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!