ઉત્તર પ્રદેશ નગર નિગમમાં ભાજપનો દબદબો! 17માંથી 17 સીટો પર ખીલ્યું કમળ! સાંભળો જીત બાદ સીએમ યોગી આદિત્યનાથે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-05-13 18:55:55

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. કોંગ્રેસની જીત થઈ છે. બહુમતીથી કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર બનાવી રહી છે. ત્યારે કર્ણાટકની સાથે ઉત્તર પ્રદેશ નગર નિગમની ચૂંટણી માટે પણ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. 17 નગર નિગમ સીટો માટેનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. નગર નિગમની તમામે તમામ 17 સીટો પર કમળ ખીલ્યું છે. મેયર પદ પર ભગવો લહેરાયો છે. ભાજપના ખાતામાં મેરઠ તેમજ અલીગઢ સીટ પણ આવી છે જે પહેલા તેમની પાસે ન હતી.

    

17માંથી 17 સીટો ગઈ ભાજપના ફાળે!

ઉત્તરપ્રદેશમાં નગર નિગમની ચૂંટણીના પરિણામ આજે આવ્યા છે. 17 સીટો માટે મતદાન થયું હતું અને આજે તેની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે 17 સીટો પર ભગવો લહેરાયો છે. લખનઉ, ગોરખપુર, વારાણસી, પ્રયાગરાજ, અયોધ્યા, કાનપુર નગર નિગમ માટે મતદાન થયું હતું. તે સિવાય અલીગઢ, મેરઠ. ઝાંસી, શાહજહાપુર, સહારનપુર, મુરાદાબાદ, મથુરા, ગાજિયાબાદ, બરેલી, ફિરોજાબાદ, આગરા નગર નિગમમાં ભાજપનું કમળ ખીલ્યું છે.       

જીતનો શ્રેય સીએમએ પીએમને આપ્યો!

આ ચૂંટણી માટે ભાજપ દ્વારા ઘણો પ્રચાર કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અનેક રેલીઓ કરી હતી. ત્યારે પાર્ટી દ્વારા તેમજ સીએમ દ્વારા કરવામાં આવેલો પ્રચાર રંગ લાવ્યો છે. પાર્ટીની જીત થયા બાદ યોગી આદિત્યનાથે પ્રતિક્રિયા આપી છે. આ જીતનો શ્રેય સીએમએ વડાપ્રધાન મોદીને આપ્યો છે. પીએમ મોદીના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશ નગર નિગમની ચૂંટણીમાં ભાજપે પોતાની સૌથી મોટી જીત હાંસલ કરી છે.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.