ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તેમની જ પાર્ટીના નેતાઓ સામે લાલઘૂમ, 'મને જો છંછેડવાનો પ્રયત્ન કર્યો તો.......


  • Published By :
  • Published Date : 2023-09-12 17:30:47

ભારતીય જનતા પાર્ટીના ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમના આખાબોલા સ્વભાવ માટે જાણીતા છે. જો કે જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમના વાકબાણો પાર્ટી માટે ચિંતાનો વિષય  બની રહ્યા છે. ‎ભરૂચના નેત્રંગ ખાતે  સોમવારે યોજાયેલી એક જાહેરસભામાં ‎મનસુખ વસાવાએ આદિવાસી પ્રમાણપત્રોના ‎મામલે નેતાઓનો ઉઘડો લીધો હતો. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ તેમની જ ‎પાર્ટીના ચાર નેતાઓ ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, ઝઘડિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈને નિશાન બનાવી આકરા પ્રહારો કર્યા હતા. મનસુખ વસાવાએ સભા યોજી દોઢ કલાક સુધી ભાષણ કરી ચાર વિરોધીઓ અને તેમની ટીમને પોતાનો અંગત લાભ મેળવી ભાજપના ભાગલા પાડનારા ગણાવ્યા હતા.


ખોટા આદીવાસી પ્રમાણપત્રો અંગે ચૂપ કેમ?

 

સાંસદ મનસુખ વસાવાએ ખોટા આદિજાતીના પ્રમાણપત્રો અંગે પણ તેમનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે‎ કહયું કે, આદિવાસી સમાજના‎ ધારાસભ્યો દર્શના દેશમુખ, ચૈતર વસાવા,‎ છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા અને‎ દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર‎ આદિવાસી નેતા છે પણ ખોટા પ્રમાણપત્રો‎ બાબતે કેમ બોલતા નથી. સાંસદ ગીતાબેન‎ રાઠવા તો રાઠવા જ નથી કે શું બીજા કોઈ‎ સમાજ ના હોય તેમ લાગે છે.‎ તે ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે "ખોટી રીતે બિન આદિવાસીઓએ મેળવી આદિવાસીઓના નામે ચરી ખાય છે. તેવા સંજોગોમાં ધારાસભ્ય રિતેશ વસાવા, દર્શનાબેન દેશમુખ,સાંસદ ગીતાબેન રાઠવા, જસવંતસિંહ‎ ભાભોર, પરભુ વસાવા કંઈ બોલતા નથી. આદિવાસીની રિઝર્વ બેઠક ઉપરથી ચુંટાઇ‎ આવો છો પણ આદિવાસી માટે બોલતા નથી. મનસુખભાઇ વસાવા બોલે તો પાર્ટી વિરોધી‎ કામ કરે તેવી રજુઆતો કરો છો.‎ ભરૂચના નેત્રંગ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના હોલમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સભા યોજી દોઢ કલાક સુધી ભાષણ કરી ચાર વિરોધીઓ અને તેમની ટીમની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.


વિરોધીઓને લીધા આડેહાથ


મનસુખ વસાવાએ ‎બીટીપીમાંથી આવી ભાજપની ટિકીટ પર ચૂંટણી‎ લડી ધારાસભ્ય બનેલાં રીતેશ વસાવાને કોઢ‎ ઉંદર ગણાવ્યો હતો. સાંસદે કહયું હતું કે, રિતેશ ‎વસાવા અને પ્રકાશ દેસાઈ એન્ડ કંપનીએ છોટુ‎વસાવાને પણ બદનામ કરી નાખ્યા છે અને‎ તેના કારણે છોટુ વસાવા આજે પણ દુ:ખી છે.‎ બંને નેતાઓ જેવું બિટીપીમાં કરતા હતા તેવું ‎જ ભાજપમાં કરવા માંગે છે પણ ભાજપમાં એવું ‎નહિ ચાલે સુધારી જજો. રિતેશ વસાવા અને‎પ્રકાશ વસાવાથી ઝઘડિયા તાલુકાના સંગઠન‎ના લોકો ડરે છે. રીતેશ વસાવાએ કોઢ ઉંદરની‎ માફક છોટુભાઇને કોરી ખાધા બાદ હવે ‎ભાજપને કોરી ખાવા માટે આવ્યો છે.‎ મનસુખ વસાવાએ પ્રદેશમાં અને દિલ્હીમાં તેમની સામે ષડ્યંત્ર રચતા વિરોધીઓને તેમના મોઢામાં આંગળા ન નાખવા તાકીદ કરી હતી. આ ઉપરાંત તેઓ ભાજપમાં બાકોરા પાડવાનું કામ કરી રહ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.મનસુખ વસાવાનો અવાજ એટલે ગરીબોનો અવાજ, 6 ટર્મથી પાર્ટી પણ જાણે છે. મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી હુંકાર કર્યો હતો કે, 'મને જો છંછેડવાનો પ્રયત્ન કર્યો તો હું બધાનાં ઠીકરાં સાફ કરી નાખીશ' એમ કહી તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ લોકસભાની ચૂંટણી તો હું રમતાં રમતાં જીતવાનો છું. સૂતેલા સિંહને ન છંછેડવા અને પોતે જૂના રાજના વાઘ હોવાનું પણ સભામાં કહ્યું હતું. મનસુખ વસાવાએ તેમની સામે દુષ્પ્રચાર કરનારનું બેંક બેલેન્સ જોવા પણ કહ્યું હતું. અંતમાં ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે, આજે સભામાં નીડરો આવ્યા છે પણ ડરપોકો નથી આવ્યા. તાલુકા અને જિલ્લા પંચાયતોમાં ભાજપની વિચારધારાને વરેલો જ વ્યક્તિ આવે તેવો આગ્રહ અંતે તેમણે વ્યક્ત કર્યો હતો. ભાજપમાં જ રહેલા પોતાના વિરોધીઓને સાંસદે તેમની ફરિયાદ કરવા પૃથ્વીલોક શું ચંદ્રલોક પર પણ જવા માટે કહ્યું હતું.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!