બીજા તબક્કાની ચૂંટણી પહેલા મતદારોને આકર્ષવા ભાજપનો પ્રયાસ


  • Published By :
  • Published Date : 2022-12-02 09:58:58

ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. ત્યારે બીજા તબક્કા માટેનું મતદાન થાય તે પહેલા દરેક પાર્ટી પોતાનો પ્રચાર કરવામાં લાગી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રચારના મેદાનમાં ઉતરી ગયા છે. અમદાવાદ ખાતે તેમણે ગુરૂવારે ભવ્ય રોડ શો કર્યો હતો ત્યારે આજે એટલે કે બીજી ડિસેમ્બરના રોજ પણ તેઓ ચૂંટણી પ્રચાર કરવાના છે. અમિત શાહ પણ ગુજરાતમાં રહી પ્રચારની કમાન સંભાળી રહ્યા છે. આજે અનેક સ્થળો પર જનસભાઓ સંબોધવાના છે.  

Image

મોદી-શાહ ગુજરાતમાં કરશે પ્રચાર 

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાવાનું હતું. પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરના રોજ મતદાન પૂર્ણ થઈ ગયું છે. જ્યારે બીજા તબક્કાનું મતદાન પાંચમી તારીખે થવાનું છે. આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના પ્રચારમાં લાગી ગઈ છે. દરેક પાર્ટીએ પોતાના સ્ટાર પ્રચારકોને પ્રચાર માટે મેદાનમાં ઉતારી દીધા છે. ત્યારે ભાજપે સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારી હોય તેમ લાગી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી સહિતના નેતાઓ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. 

Image

અનેક સ્થળો પર યોજાશે જનસભા

પ્રચાર કરવા વડાપ્રધાન અનેક ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે ચૂંટણી પહેલા પીએમ 1લી અને 2જી ડિસેમ્બરમાં બીજા તબક્કાની બેઠકો માટે પ્રચાર કરી રહ્યા છે. ત્યારે પ્રવાસના બીજા દિવસે પીએમ મોદી કારંજમાં જનસભા યોજવાના છે. ઉપરાંત પાટણ, સોજિત્રા તેમજ અમદાવાદમાં પણ તેઓ જનસભા યોજી મતદારોને આકર્ષવા પ્રયાસ કરવાના છે. અમિત શાહ પણ મહેસાણામાં, વડોદરામાં તેમજ અમદાવાદમાં જનસભા કરવાના છે. ત્યારે પાર્ટી દ્વારા કરવામાં આવતો આ પ્રચાર મતદારોને આકર્ષવા સફળ થશે કે નહીં તે આઠમી ડિસેમ્બરના રોજ ખબર પડશે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.