આમ આદમી પાર્ટીના ટ્વિટનો ભાજપે આપ્યો વળતો જવાબ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 15:55:05

ગુજરાતમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જનસભાઓમાં રાજકીય પાર્ટી એક બીજા પર આક્રમક થઈ પ્રહાર કરી રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર પણ એક અલગ પ્રકારનું યુદ્ધ છેડાઈ ગયું છે. આમ આદમી પાર્ટીએ પહેલા એક ટ્વિટ કરી હતી જેમાં તેમણે શિક્ષણને પ્રાધાન્ય આપવાની વાત કરી હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ આ ટ્વિટનો જવાબ આપ્યો છે. જેમાં ભાજપે આપ પર પ્રહાર કરી લખ્યું કે પંજાબમાં શિક્ષકો અને કર્મચારીઓને પગાર આપવા માટે પૈસા નથી અને VIP ઉપયોગ માટે પ્લેન ભાડે લેવાની તૈયારી ચાલી રહી છે.

  

ટ્વિટનો જવાબ ભાજપે ટ્વિટ થકી આપ્યો

ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાના પ્રચારમાં એકદમ વ્યસ્ત બની છે. આપનો પ્રચાર કરવા દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જનસભા દરમિયાન દરેક પાર્ટી પોતાનો પ્રચાર તો કરતી હોય છે પરંતુ બીજી પાર્ટી પર પણ પ્રહાર કરતી હોય છે. આ સિલસિલો ભાજપ અને આપ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ બંને પાર્ટી કરી રહી છે. આમ આદમી પાર્ટીએ એક ફોટો ટ્વિટ કર્યો હતો જેમાં કેજરીવાલ નરેન્દ્ર મોદીને શાળામાં ખેંચીને લઈ જાય છે. તેના જવાબમાં ભારતીય જનતા પાર્ટીએ પણ ટ્વિટ કર્યું છે જેમાં આમ આદમી પાર્ટીની સરકાર પાસે શિક્ષકોને પગાર આપવાના પૈસા નથી તેવું બતાવવામાં આવ્યું છે.         




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.