આજે Himachal Pradeshમાં યોજાયો BJPનો ભરતી મેળો, કોંગ્રેસ સામે બળવો કરનારા ધારાસભ્યો સત્તાવાર રીતે થયા ભાજપના...


  • Published By :
  • Published Date : 2024-03-23 14:40:59

હિમાચલ પ્રદેશમાં થોડા સમય પહેલા વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. વિધાનસભા ચૂંટણીમાં કોગ્રેસની જીત થઈ હતી અને ભાજપને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ક્રોસ વોટિંગને કારણે અનેક વખત હિમાચલ પ્રદેશની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આજે ફરી એક વખત ત્યાંની ચર્ચા થઈ રહી છે કારણ કે 3 ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ધારાસભ્યોએ પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે જેને કારણે એવી ચર્ચાઓ થઈ રહી છે કે ધારાસભ્યો ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે અને એવું જ થયું. કોંગ્રેસના 6 બાગી ધારાસભ્યો તેમજ 3 પૂર્વ અપક્ષ ધારાસભ્યોએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો છે. 

હિમાચલ પ્રદેશમાં આવ્યો રાજકીય ભૂકંપ  

દેશના રાજકારણમાં ઉથલ પાથલ જોવા મળી રહી છે. અનેક ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે. ગુજરાતમાં પણ અનેક ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે ત્યારે હિમાચલ પ્રદેશના રાજકારણમાં પણ ભૂકંપ આવ્યા છે. ત્રણ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. નાલાગઢથી કૃષ્ણલાલ ઠાકુર, દેહરાથી હોશિયાર સિંહ અને હમીરપુરથી આશિષ શર્માએ પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ગમે ત્યારે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી અને તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે. ધારાસભ્યોના રાજીનામા બાદ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહે પ્રતિક્રિયા આપી છે. ત્રણ અપક્ષ ધારાસભ્યોના રાજીનામા અંગે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ કહ્યું હતું કે આઝાદ જીત્યા પછી આવેલા ધારાસભ્યોએ પોતાનું સન્માન ગીરવે મૂક્યું હતું કે પછી તેમના પર દબાણ વધારે પડતું હતું તે તપાસનો વિષય છે.   

6 બળવા ખોર ધારાસભ્યોએ ધારણ કર્યો કેસરિયો

કોંગ્રેસના છ બળવાખોર ધારાસભ્યો - સુધીર શર્મા, રવિ ઠાકુર, રાજીન્દર રાણા, ઈન્દર દત્ત લખનપાલ, ચેતન્ય શર્મા અને દેવિન્દર કુમાર ભુટ્ટો - 29 ફેબ્રુઆરીએ ગૃહમાં હાજર રહેવા અને તરફેણમાં મતદાન કરવા માટે પક્ષના વ્હીપને અવગણવા બદલ વિધાનસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. ત્યારે કોંગ્રેસના 6 બાગી ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે.  મહત્વનું છે કે 3 અપક્ષ ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે અને તેઓ પણ ભાજપમાં જોડાઈ ગયા છે. ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું એટલે ત્યાં પેટા ચૂંટણી યોજાવાની છે. પહેલા આ આંકડો 6નો હતો પરંતુ હવે તે 9નો થઈ ગયો છે. 


જ્યાં ભાજપ નથી જીતતી ત્યાં ભાજપ સરકાર બનાવે છે..!

ભાજપ સામ, દામ, દંડ અને ભેદની રાજનીતિ કરવામાં માહિર છે તેવું કહીએ તો અતિશયોક્તિ ના કહેવાય. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં આપણે જોયું છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતે છે અને હારે છે તો સરકાર બનાવે છે. હિમાચલ પ્રદેશ વિધાનસભાની સંખ્યા 68 છે. બહુમતી માટે 35નો આંકડો હોવો જરૂરી છે. કોંગ્રેસ પાસે 40 ધારાસભ્યો હતા. પરંતુ છ બળવાખોર ધારાસભ્યો વિરૂદ્ધ કાયદાકીય પગલા લેવામાં આવ્યા હતા. જેને કારણે કોંગ્રેસ નંબર ગેમમાં 40થી ઘટીને 34 પર આવી ગઈ છે, જે બહુમતી માટે જરૂરી આંકડા કરતા એક ઓછી છે. પરંતુ બળવાખોર ધારાસભ્યોને સભ્યપદેથી અયોગ્ય ઠેરવ્યા બાદ હવે વિધાનસભાની સંખ્યા 62 થઈ ગઈ છે. આવી સ્થિતિમાં બહુમત માટે જરૂરી આંકડો હવે 32 થઈ ગયો છે. મહત્વનું છે કે આ ભરતી મેળાનો ફાયદો ભાજપને નહીં થાય કારણ કે બળવો કરનાર ધારાસભ્યને હિમાચલ પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષે સસ્પેન્ડ કરી દીધા હતા અને 3 અપક્ષ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસનું સંખ્યાબળ ઘટ્યું પરંતુ ભાજપના સંખ્યાબળ પર કોઈ ફરક નહીં આવે.! 



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.