કર્ણાટકમાં મંત્રીના ગૌહત્યા વાળા નિવેદનનો ભાજપે કર્યો વિરોધ! ગાયોને લઈ રસ્તા પર ઉતર્યા ભાજપના કાર્યકર્તાઓ! જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-06-06 15:15:15

થોડા સમય પહેલા કર્ણાટકના પશુપાલન મંત્રી ટી. વેંકટેશે શનિવારે 3 જૂને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે ભેંસને કાપી શકાય છે, બળદને કાપી શકાય છે તો ગાયને કેમ કાપી નથી શકાતી? આ નિવેદનનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે મંત્રી દ્વારા આપેલા નિવદેનનો વિરોધ કરવા ભાજપના કાર્યકર્તાઓ મેદાનમાં ઉતર્યા છે. ભાજપના કાર્યકર્તાઓ ગાયોને લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગાયોને લઈ ભાજપના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન નેતા વિરૂદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.         


પશુપાલન મંત્રીએ ગાયોના કતલને લઈ આપ્યું હતું નિવેદન!  

કર્ણાટકના પશુપાલન મંત્રી ટી. વેંકટેશે નિવેદન આપતા કહ્યું હતું કે જો ભેંસ અને બળદનું કતલ કરી શકાય તો ગાયનું કેમ નહીં? મીડિયા સાથે તેમની વાત ચાલી રહી હતી જે દરમિયાન ટી વેંકટેશે આ નિવેદન આપ્યું છે. વેંકટેશે જણાવ્યું કે તે પોતાના ઘરે ત્રણથી ચાર ગાયો પાળે છે. પરંતુ, જ્યારે આમાંથી એક ગાયનું મૃત્યુ થયું, ત્યારે તેના અંતિમ સંસ્કાર માટે મારે ઘણો સંઘર્ષ કરવો પડ્યો. લગભગ 25 લોકો તેને લેવા માટે આવ્યા હતા, પરંતુ તેમ છતાં તેને ઉઠાવી શક્યા ન હતા. બાદમાં જેસીબીની મદદથી તેને ઉપાડી લઈ જવામાં આવી. ટી વેંકટેશે કહ્યું કે કર્ણાટકમાં ગૌશાળાઓના સંચાલન માટે ભંડોળની અછત છે.

રસ્તા પર ગાયો સાથે ઉતરી ભાજપના નેતાએ કર્યો વિરોધ!

તે સમયે ભાજપના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મંત્રી પર વિવાદાસ્પદ નિવેદન આપવાનો આરોપ લગાવ્યો કે તેમણે હિન્દુઓનું અપમાન કર્યું છે. ભાજપે કહ્યું કે કોંગ્રેસ સરકાર એક વર્ગને ખુશ કરવા માટે આવી જાહેરાતો કરી રહી છે. આ પહેલા બજરંગ દળ પર પ્રતિબંધની જાહેરાત પર પણ હંગામો થયો હતો. ત્યારે આ નિવેદનનો વિરોધ આજે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. ભાજપના કાર્યકર્તાઓએ ગાયોને લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગાયોને લઈ ભાજપના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને બેંગ્લુરૂ ખાતે પ્રદર્શન કર્યું હતું . 


મંત્રી વિરૂદ્ધ ભાજપના કાર્યકર્તાઓએ કર્યા સૂત્રોચ્ચાર!  

વિરોધ પ્રદર્શન કરી રહેલા ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. પાંચ ગેરેન્ટીના વાયદા જે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા તે તમામ યોજનાઓ હજી સૂધી લાગુ કરવામાં આવી નથી તેનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બની હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ દ્વારા વચનો આપવામાં આવ્યા હતા અને કહેવામાં  આવ્યું હતું કે પહેલી કેબિનેટમાં જ તમામ વચનોની અમલી કરવામાં આવશે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.