કર્ણાટકમાં મંત્રીના ગૌહત્યા વાળા નિવેદનનો ભાજપે કર્યો વિરોધ! ગાયોને લઈ રસ્તા પર ઉતર્યા ભાજપના કાર્યકર્તાઓ! જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-06-06 15:15:15

થોડા સમય પહેલા કર્ણાટકના પશુપાલન મંત્રી ટી. વેંકટેશે શનિવારે 3 જૂને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે ભેંસને કાપી શકાય છે, બળદને કાપી શકાય છે તો ગાયને કેમ કાપી નથી શકાતી? આ નિવેદનનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે મંત્રી દ્વારા આપેલા નિવદેનનો વિરોધ કરવા ભાજપના કાર્યકર્તાઓ મેદાનમાં ઉતર્યા છે. ભાજપના કાર્યકર્તાઓ ગાયોને લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગાયોને લઈ ભાજપના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન નેતા વિરૂદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.         


પશુપાલન મંત્રીએ ગાયોના કતલને લઈ આપ્યું હતું નિવેદન!  

કર્ણાટકના પશુપાલન મંત્રી ટી. વેંકટેશે નિવેદન આપતા કહ્યું હતું કે જો ભેંસ અને બળદનું કતલ કરી શકાય તો ગાયનું કેમ નહીં? મીડિયા સાથે તેમની વાત ચાલી રહી હતી જે દરમિયાન ટી વેંકટેશે આ નિવેદન આપ્યું છે. વેંકટેશે જણાવ્યું કે તે પોતાના ઘરે ત્રણથી ચાર ગાયો પાળે છે. પરંતુ, જ્યારે આમાંથી એક ગાયનું મૃત્યુ થયું, ત્યારે તેના અંતિમ સંસ્કાર માટે મારે ઘણો સંઘર્ષ કરવો પડ્યો. લગભગ 25 લોકો તેને લેવા માટે આવ્યા હતા, પરંતુ તેમ છતાં તેને ઉઠાવી શક્યા ન હતા. બાદમાં જેસીબીની મદદથી તેને ઉપાડી લઈ જવામાં આવી. ટી વેંકટેશે કહ્યું કે કર્ણાટકમાં ગૌશાળાઓના સંચાલન માટે ભંડોળની અછત છે.

રસ્તા પર ગાયો સાથે ઉતરી ભાજપના નેતાએ કર્યો વિરોધ!

તે સમયે ભાજપના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મંત્રી પર વિવાદાસ્પદ નિવેદન આપવાનો આરોપ લગાવ્યો કે તેમણે હિન્દુઓનું અપમાન કર્યું છે. ભાજપે કહ્યું કે કોંગ્રેસ સરકાર એક વર્ગને ખુશ કરવા માટે આવી જાહેરાતો કરી રહી છે. આ પહેલા બજરંગ દળ પર પ્રતિબંધની જાહેરાત પર પણ હંગામો થયો હતો. ત્યારે આ નિવેદનનો વિરોધ આજે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. ભાજપના કાર્યકર્તાઓએ ગાયોને લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગાયોને લઈ ભાજપના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને બેંગ્લુરૂ ખાતે પ્રદર્શન કર્યું હતું . 


મંત્રી વિરૂદ્ધ ભાજપના કાર્યકર્તાઓએ કર્યા સૂત્રોચ્ચાર!  

વિરોધ પ્રદર્શન કરી રહેલા ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. પાંચ ગેરેન્ટીના વાયદા જે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા તે તમામ યોજનાઓ હજી સૂધી લાગુ કરવામાં આવી નથી તેનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બની હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ દ્વારા વચનો આપવામાં આવ્યા હતા અને કહેવામાં  આવ્યું હતું કે પહેલી કેબિનેટમાં જ તમામ વચનોની અમલી કરવામાં આવશે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!