બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 17:46:18

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ભાજપ તેમજ આપે ચૂંટણી પ્રચાર કરવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે કોંગ્રસે પણ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો. આ બધા વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જે.પી નડ્ડા બાદ વડાપ્રધાન મોદી તેમજ અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે આવવાના છે.

BJP National President - JP Nadda To Visit Tripura On August 28; CM Calls  High-Level Meeting On August 21

અનેક કાર્યક્રમોમાં જે.પી.નડ્ડા રહેશે ઉપસ્થિત

2022ના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ઈલેક્શનને ઘણો ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે પોતાના મતદારોને રિઝવવા દરેક પાર્ટી પ્રયાસ કરી રહી છે. એક બાદ એક અનેક પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં પ્રવાસ કરી માહોલ બનાવી રહ્યા છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 20 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે યોજાનારા વિરાંજલિ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. ઉપરાંત ગુજરાત પ્રદેશ કિસાન મોરચા દ્વારા યોજાનાર નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 21 સપ્ટેમ્બરના રોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ મોરચાના પ્રમુખો સાથે બેઠક કરવાના છે. ઉપરાંત પ્રોફેસર સમિટ અને મેયર સમિટના સમાપન સત્રમાં પણ ઉપસ્થિત રહેવાના છે. તેમજ તેમના પ્રવાસ દરમિયાન ભવ્ય રોડ-શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ રોડ-શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,સી.આર.પાટીલ તેમજ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહેવાના છે.



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.