"પતિ જીવતો છે ને, તો માથે બિંદી લગાવો" મહિલા દુકાનદાર પર ભડક્યા કર્ણાટકના BJP સાંસદ, VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-03-09 14:46:03

કર્ણાટકના કોલાર જિલ્લાના ભાજપા સાંસદ એસ મુનિસ્વામીએ મહિલા દિવસ પર એક એક મહિલા પર ટિપ્પણી કરીને વિવાદ સર્જ્યો છે. મુનિસ્વામી એક કાર્યક્રમ દરમિયાન મહિલા દુકાનદારના માથા પર બિંદી ન જોતા વિફર્યા હતા અને તેને પતિ જીવતો હોય તો માથા પર બિંદી લગાવવાનું કહ્યું હતું. તેમના આ નિવેદનની અનેક લોકોએ નિંદા કરી છે. એસ મુનિસ્વામીનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. 


મહિલા દિને પ્રદર્શનનું કર્યું ઉદઘાટન


કોલારના બિજેપી સાંસદ એસ મુનિસ્વામી મહિલા દિવસના પ્રસંગે આયોજીત એક પ્રદર્શન અને વેચાણ મેળામાં સામેલ થયા હતા. સાંસદશ્રીના હસ્તે જ તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું, તેઓ એક સ્ટોલ પર ઉભા રહ્યા, આ સ્ટોલ પર કપડા વેચાણ માટે રાખવામાં આવ્યા હતા અને ત્યાં જ તેમણે એક મહિલાને માથા પર બિંદી ન લગાવતા બાબતે વિફર્યા હતા. 


શું કહ્યું સાંસદે?


બિજેપીના લોકસભાના સાંસદે મહિલાને કહ્યું "પહેલા બિંદી લગાવો, તમારો પતિ જીવતો છે, છે ને? તમારામાં કોમન સેન્સ નથી." આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મુદ્દે કોંગ્રેસે ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા છે. કોંગ્રેસે આ બાબતની નિંદા કરતા કહ્યું કે આવી ઘટનાઓ ભાજપની સંસ્કૃતિ દર્શાવે છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.