BJPના MP મનસુખ વસાવા ફરી વિવાદમાં, અભદ્ર ભાષામાં વાતચીતનો ઓડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-12-31 13:17:38

ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. તેમનો એક ટેલિફોનિક વાતચીતનો ઓડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વાયરલ ઓડિયો ક્લિપમાં  મનસુખ વસાવા કથિત રીતે એક વ્યક્તિને સાથે અભદ્ર ભાષામાં વાત કરી રહ્યા હોવાનું સાંભળવા મળે છે. ભાજપના આ અગ્રણી નેતા અને સિનિયર સાંસદનો ઓડિયો વાયરલ થતાં ભરૂચનું રાજકારણ ગરમાયું છે.


શું છે સમગ્ર મામલો?


ભાજપના દિગ્ગજ નેતા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાના નામે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં મોબાઈલ ટાવરને લઈ સામાજિક આગેવાને સાંસદને ફોન કર્યા બાદ ટેલિફોનિક વાતચીતમાં અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ એક ઓડિયો ક્લિપમાં કથિત રીતે મનસુખ વસાવા અને સામાજિક અગ્રણી વચ્ચેની વાતચીત છે. આ ક્લિપની શરુઆતમાં જ કથિત રીતે સાંસદ કહી રહ્યા છે કે, તું બહુ હોંશિયારી ના માર.. હું મારી રીતે મદદ કરું છું અને બધા જે અધિકારીને કહેવાનું છે તે મારી રીતે કહું જ છું. તને એકલી ચિંતા નથી, અમને પણ ચિંતા છે. જે બાદમાં કહ્યું કે, તું શું સમજે છે તારા મનમાં ?.. તને પૂછીને મારે કરવાનું.. આમ આ પ્રકારની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ પણ મનસુખ વસાવાએ હજુ સુધી આ મામલે કોઈ સ્પષ્ટતા કરી નથી.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.