વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને અમિત શાહની વ્યૂહરચનાની સાથે આગળ વધતું ભાજપ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 17:02:24

ગુજરાત વિધાનસભા ચૂંટણી થોડા સમયમાં યોજાવાની છે. ગુજરાતમાં કોંગ્રેસ, આપ અને ભાજપ પ્રચાર કરી મતદારોને પોતાના તરફ આકર્ષવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ભાજપનો પ્રચાર સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ કરી રહ્યા છે. ચૂંટણીનો મોરચો સંભાળતા ગુજરાત ભાજપ દ્વારા 7 ઓક્ટોબર થી આગામી 10 દિવસ સુધી ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.   

અમિત શાહ અને વડાપ્રધાનની નજર ગુજરાત સર કરવા પર  

સંગઠનને મજબૂત કરવા અમિત શાહ અને પીએમ મોદી ગુજરાત આવી અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. 9 અને 10 ઓક્ટોબરના રોજ પીએમ મોદી ગુજરાતમાં આવી મતદાર સુધી પહોંચવાનો પ્રયત્ન કરવાના છે. અનેક સ્થળો પર તેઓ જનસંબોધન કરવાના છે.

Portraits of Modi and Amit Shah on OPS camp hoarding raise eyebrows |  Deccan Herald

લોકો સુધી પહોંચવા કરાશે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન

ચૂંટણી પ્રચાર પાછળ ભાજપ દ્વારા કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. ગુજરાતમાં પણ અનેક કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યના મંત્રીઓ પ્રચાર કરવા મેદાનમાં ઉતરી ગયા છે. ગ્રાઉન્ડ પર જઈ સામાન્ય માણસ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ભાજપના કાર્યકર્તાઓ અને સંગઠનને મજબૂત કરવા પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. 10 દિવસ સુધી ચાલનારી આ યાત્રામાં ભાજપ જનસંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ભાજપ લોકો સુધી પહોંચવામાં સફળ થાય છે કે નહીં એ તો સમય જ બતાવશે. 




ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે સાથે જ તેમણે ટેરિફને લઇને ભારતને આડેહાથ લીધું છે . તો આ બાજુ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે હવે કોઈ પણ ફળશ્રુતી વગર પાછું જઈ ચૂક્યું છે. તો હવે જોઈએ ૨જી એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદે છે કે કેમ.

પીએમ મોદી આખરે ૧૨ વર્ષના અંતે RSSના મુખ્યાલય કેશવ કુંજ ખાતે નાગપુર પહોંચ્યા છે. છેલ્લે , જુલાઈ ૨૦૧૩માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગપુર પહોંચ્યા હતા. ખુબ લાંબા સમયથી નવા બીજેપી અધ્યક્ષની નિમણુંક બાકી છે . તેને લઈને ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ઘણા મહત્વના રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણુંક પણ બાકી છે તેને લઇને પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે .

સામાન્ય રીતે વિકસિત અથવા અવિકસિત દેશોના લોકો મેડિકલ ખર્ચના પરિબળને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ માટે ભારતને પસંદ કરે છે. જો કે આ અમદાવાદમાં થયેલા મેડિકલ ટુરિઝમના તાજેતરના ઉદાહરણથી તદ્દન વિપરીત છે. ડૉ. પૉલ જેસન ગ્રેનેટ, પેન્સિલવેનિયાના જાણીતા ટ્રોમા સર્જનને હાર્ટની તકલીફ હતી, જેમાં સર્જરીની જરૂર હતી. વધુ આરામદાયક જીવનશૈલી સાથે પ્રખ્યાત સર્જન હોવાને કારણે, અમેરિકન સર્જન અમેરિકામાં ગમે ત્યાંની કોઈપણ હોસ્પિટલ પસંદ કરી શકે છે, ત્યાં તેમની સારવાર પણ મફત થઈ હોત, તેમ છતાં તેમણે અમદાવાદની પસંદગી કરી.

દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે