ભાજપના ધારાસભ્યો નિભાવી રહ્યા છે વિપક્ષની ભૂમિકા! યોજાઈ બેઠક અને નેતાઓને આદેશ કરાયો જાહેર મંચ પર રજૂઆતો ન કરવી? જાણો વિગતવાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-19 12:25:13

લોકસભાની ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી ભાજપના નેતાએ પોતાની જ પાર્ટીની સામે મેદાને પડ્યાં હતા.. અથવા તો કોઈ નેતા સરકારમાં કે સિસ્ટમમાં ચાલતી ગેરરિતીને લઈને જાહેરમાં ખુલ્લેઆમ અવાજ ઉઠાવતા હતા... ભાજપના જ ધારાસભ્યો જાણે વિપક્ષની ભૂમિકામાં આવી ગયા હોય તેવું લાગ્યું. જાહેરમંચ પરથી સરકારની પોલ ખોલતા હતા નેતાઓ હવે તેના પર રોક લાગશે કેમ કે પાર્ટીએ આદેશ કરી દીધા છે કે મનની વાત જાહેરમંચ પરથી કહેવી નહીં.. આવી માહિતી તો સામે આવી હતી સાથે સાથે શું કરવુ આના ઉપાયના રૂપમાં તે પણ ભાજપે જણાવ્યું છે...!

ભાજપના જ સાંસદો, ધારાસભ્યો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે..!

ખેડામાં મુખ્યમંત્રી પોતે સરપ્રાઈઝ ચેકિંગમાં ગયા હતા ને બેદરકારી સામે આવતા અધિકારી વિરૂદ્ધ તરત કાર્યવાહી કરવામાં આવી. વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર, વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા, મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ, મહુધાના ધારાસભ્ય સંજય મહીડા, સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી, લાઠી- બાબરાના ધારાસભ્ય જનક તળાવિયા, માણાવદરના કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈને ધારાસભ્ય બનેલા અરવિંદ લાડાણી, સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી સહિતના નેતાઓ સિસ્ટમ સામે અવાજ ઉઠાવી રહ્યા છે.


સિસ્ટમની પોલ ભાજપના નેતાઓ ખોલી રહ્યા છે..!

જાહેરમંચ પર પત્રો લખી રહ્યાં છે અને સિસ્ટમની પોલ ખોલી ખામીઓ દર્શાવી રહ્યાં છે.... હવે એ નેતાઓના પ્રજાવત્સલ બનવા પર રોક લાગશે કેમ કે, લોકસભાની ચૂંટણી બાદ ભાજપે તમામ સાંસદોને ગાંધીનગર બોલાવી બેઠક કરી...મનની વાત જાહેર મંચ કહેવાને બદલે યોગ્ય સ્થળે રજુઆત કરવા ભાજપ સાંસદોને સલાહ આપવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે.... 


બેઠક માટે ગાંધીનગર બોલાવ્યા હતા! 

લોકસભાની ચૂંટણી યોજાઈ ગયા બાદ ભાજપે પોતાના તમામ નેતાઓને, ધારાસભ્યો, સાસંદોને બેઠક માટે ગાંધીનગર બોલાવ્યા હતા તેવી માહિતી સામે આવી છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ હાજર હતા.. અહીં પ્રદેશ મોવડી મંડળે નવા ચૂંટાયેલા સાંસદોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તમારા મનમાં કોઈ વાત હોય તો એ બાબતે જાહેરમાં કહેવાને બદલે યોગ્ય સ્થળે રજૂઆત કરશો... જાહેર મંચ પરથી આવા નિવેદનો ના આપવા તેવી વાત કહેવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. જે પ્રશ્ન હશે તેનો ઉકેલ યોગ્ય પ્લેટફોર્મ પર મુકવાથી જ આવશે... જાહેરમાં બોલવાના કારણે સ્થિતિ ખરાબ થાય છે.... 



હંગામી પ્રમુખ તરીકે સી.આર.પાટીલ ઈન્ચાર્જ સંભાળશે

તો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હવે કેન્દ્રીય મંત્રી બન્યા હોવાથી તેઓ અગાઉની માફક સતત રાજ્યના પક્ષિય સંગઠનની બાબતને લઈને સમય ફાળવી શકશે નહીં. આ સંજોગોમાં આવતા થોડા સમયમાં પક્ષનું રાષ્ટ્રીય મોવડી મંડળ જ્યાં સુધી કાયમી પ્રમુખની નિયુક્તી ન થાય ત્યાં સુધી હંગામી રીતે ઈન્ચાર્જ પ્રમુખની નિયુક્તિ કરી શકે છે. ત્યાં સુધી સી.આર.પાટીલ હંગામી પ્રમુખ તરીકે યથાવત રહેશે.... 




લોકસભાની ચૂંટણી પછી સૌથી પહેલો સવાલ હતો કે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે? આ સવાલનો જવાબ આજે અથવા તો કાલે મળી જશે કારણ કે 4-5મી જુલાઈએ એટલે આજે અને આવતી કાલે ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક સાળંગપુરમાં મળવાની છે. આ બેઠકમાં નવા અધ્યક્ષના નામ પર મોહર લાગી શકે છે..

ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી એટલો વિકાસ થયો કે છેક રોડ રસ્તામાં બસ આખી ખાડામાં સમાય શકે છે... મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ગુજરાતમાં કરી અને સ્માર્ટસિટીના દાવા એ જ વરસાદી પાણીમાં ધોવાય ગયા

બ્રિટનમાં સામાન્ય ચૂંટણી માટે ગુરુવારે મતદાન યોજાવાનું છે. બ્રિટનમાં 14 વર્ષથી સત્તા પર રહેલી કન્ઝર્વેટિવ પાર્ટી અને પીએમ ઋષિ સુનક માટે આ ચૂંટણી એક અગ્નિપરીક્ષા સમાન છે. કારણ કે મોટા ભાગના સરવેમાં પાર્ટીની કારમી હારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ, વિપક્ષી લેબર પાર્ટી 2010 પછી સત્તામાં વાપસી કરે તેવી સંભાવનાઓ રહેલી છે.

મહાભારતનું યુદ્ધ ચાલતું હોય અને રણમેદાનમાંથી ભગવાન શ્રી કૃષ્ણ ગીતાનો ઉપદેશ્ય આપે.. કાલિદાસજીના ભોજ પત્રોને ફેંદીએ તો તેમાંથી કવિતા નીકળે.. જનક રાજા હળ ચલાવે તો જમીનમાંથી સીતાજી મળે..