ભાજપના MLA નિમિષાબેન સુથાર અને ગાંધીનગરના મેયર હીતેશ મકવાણાએ ભાંગરો વાટ્યો, મહારાણા પ્રતાપ જયંતિ પર શિવાજીનો ફોટો મુકી શુભેચ્છા આપી


  • Published By :
  • Published Date : 2023-05-09 18:14:26

રાજકીય પક્ષોના નેતાઓ દેશની મહાન હસ્તીઓના જન્મ દિને તેમને યાદ કરી સોશિયલ મીડિયા પોસ્ટ કરતા હોય છે. જો કે ક્યારેક તેમની આ પોસ્ટ વિવાદનું  કારણ પણ બનતી હોય છે. જેમ કે આજે મહારાણા પ્રતાપ જયંતિની શુભેચ્છા આપતી પોસ્ટ વિવિધ પાર્ટીઓના અગ્રણી નેતીઓ, ચૂંટાયેલા ધારાસભ્યો અને શહેરના મેયરોએ કરી હતી. જેમાં ભાજપના ધારાસભ્ય નિમિષાબેન સુથાર અને ગાંધીનગર મેયર હીતેશ મકવાણાની ટ્વીટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.


બંને નેતાઓએ શું ભાંગરો વાટ્યો?


ભાજપના મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે મહારાણા પ્રતાપની જન્મજયંતિની શુભેચ્છા આપતી પોસ્ટ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુકી પરંતુ ભાજપના ધારાસભ્યએ ફોટોમાં મહારાણા પ્રતાપના સ્થાને શિવાજીનો ફોટો શેર કરી દીધો હતો. તે જ પ્રકારે ગાંધીનગરના મેયર હીતેશ મકવાણાએ પણ મહારાણા પ્રતાપની જયંતી પર છત્રપતિ શિવાજીનો ફોટો મૂક્યો હતો. કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકરે ટ્વિટર પર આ પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો,બાદમાં હીતેશ મકવાણાએ ફોટો બદલી મહારાણા પ્રતાપનો મૂકી દીધો હતો. નિમિષાબેન સુથારે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ફેસબુક પર શેર કરેલી પોસ્ટમાં એક યૂઝરે કમેન્ટ કરી કે, મહારાણા પ્રતાપ અને શિવાજીમાં ફરક છે બેન તમે ફોટો શિવાજીનો મુક્યો છે. જો કે તેમ છતાં નિમિશાબેન સુથારનું ટ્વિટ હજુ પણ જોવા મળી રહી છે. Image


આવું શા માટે થાય છે?


નેતાઓ દ્વારા આ પ્રકારની સોશિયલ મીડિયા પોસ્ટમાં અવારનવાર વિવાદ થતાં જોવા મળે છે. કોઈ ફોટો બદલાઈ જાય કે પછી પોસ્ટનું લખાણ વિવાદનું કારણ બનતું હોય છે. આવું થવાનું મુખ્ય કારણ છે કે વાર-તહેવાર પર થતી આ પ્રકારની પોસ્ટ જે તે વ્યક્તિ ખુદ કરતી નથી, પરંતુ આ કામ તેમના વતી કોઈ એજન્સી કરતી હોય છે. જેના કારણે આવું આંધળે બહેરૂ કુટાતું હોય છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગત જાન્યુઆરી મહિનામાં આણંદના ભાજપના ધારાસભ્ય યોગેશ આર પટેલે સોશિયલ મીડિયામાં નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપતું ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટમાં તેમણે સુભાષચંદ્ર બોઝને આતંકવાદી પાંખનો ભાગ ગણાવ્યા હતા. આ મુદ્દે વિવાદ વધતા તેમણે થોડીવારમાં જ આ પોસ્ટ ડિલીટ કરીને નવી પોસ્ટ શેર કરી હતી. 


આવી ભૂલ જો કોઈ વિપક્ષી નેતાએ કરી હોત તો?


આજે મહારાણા પ્રતાપ જયંતિ પર શિવાજીનો ફોટો મુકનારા બંને નેતા ભાજપના છે. પરતું જો આવી જ ભૂલ કોંગ્રેસ કે આપના કોઈ નેતાએ કરી હોત તો તેના સોશિયલ મીડિયા પર તેમની ખુબ મજાક ઉડાવવામાં આવી હોત. ભૂલ થાય તે સ્વાભાવિક છે પણ વાતનું વતેસર કરીને કોઈ રાજકીય નેતાની છબી ખરડાવવા માટે જે રીતે તેને મજાકનું પાત્ર બનાવી દેવામાં આવે છે તે ખોટું છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!