રાજ્યના તીર્થસ્થાનોમાં ભાજપના નેતાઓ કરશે સફાઈ! હર્ષ સંઘવીએ અમદાવાદના ભદ્રકાળી મંદિરની સફાઈ કરી લીધો અભિયાનમાં ભાગ


  • Published By :
  • Published Date : 2023-04-22 11:50:31

કહેવાય છે 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા'. આ સૂત્રને ધ્યાનમાં રાખી સમગ્ર દેશમાં 'સ્વચ્છ ભારત અભિયાન' ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્યમાં ધર્મસ્થાનો પર મહાસફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ તેમજ ભાજપના ધારાસભ્યો અલગ અલગ તીર્થ ધામોની સફાઈ કરી રહ્યા છે. એક સાથે 24 દેવસ્થાનોમાં સફાઈ કરવામાં આવી રહી છે. ત્યારે હર્ષ સંઘવીએ અમદાવાદમાં આવેલા નગરદેવી એટલે ભદ્રકાલી મંદિર પરિસરમાં સાફસફાઈ કરી હતી. તે ઉપરાંત રાજકોટ ખાતેથી મુખ્યમંત્રીએ આ અભિયાનની શરૂઆત કરાવી હતી. મુખ્યમંત્રીએ બાલાજી હનુમાન મંદિરની સફાઈ કરી હતી. 

 

BJP starts cleanliness drive near religious places today આજે પ્રદેશ ભાજપ દ્વારા રાજ્યભરના મંદિરોમાં સ્વચ્છતા અભિયાન, સુરતથી સીઆર પાટીલે અભિયાન શરૂ કરાવ્યું

ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે તીર્થસ્થાનોની સફાઈ!

રાજ્યના વિવિધ તીર્થસ્થાનો પર મહાસફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ધારાસભ્ય સહિતના કાર્યકરો દ્વારા તીર્થસ્થાનોની સફાઈ કરવામાં આવી હતી.રાજ્યના મુખ્યમંત્રી રાજકોટના કરણસિંહજી બાલાજી મંદિરની સફાઈ કરવાના છે. ઋષિકેશ પટેલ મહેસાણા ઉમિયાધામ ખાતે, બચુખાબડ બનાસકાંઠામાં અંબાજી મંદિર ખાતે, મુકેશ પટેલ કામરેજ સુરતના ગાય પગલા મંદિરે, રમણ સોલંકી ખેડાના ડાકોર મંદિરમાં, જેઠાભાઈ ભરવાડ પાવાગઢ મંદિર ખાતે, જગદીશ વિશ્વકર્મા ગાંધીનગર અક્ષરધામ મંદિર ખાતે ધર્મસ્થાનો પર મહાસફાઈ અભિયાન અંતર્ગત ઉપસ્થિત રહી સફાઈ અભિયાનમાં ભાગ લેશે.      

   

હર્ષ સંઘવીએ આપ્યું નિવેદન!

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ભદ્રકાલી મંદિરની સફાઈ કરી હતી. તેમની સાથે ભાજપના ધારાસભ્યો તેમજ કોર્પોરેટરો પણ જોડાયા હતા. આ પ્રસંગે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે દેવસ્થાનોને ચોખ્ખા રાખવાની જવાબદારી સફાઈ કર્મચારીઓની જ નહીં પરંતુ આપણી પણ બને છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!